SURAT

સુરતમાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીને દોરાથી ફાંસો આપી હત્યા કરી પછી પોતે કર્યું આ કામ

સુરત: (Surat) શહેરના છેવાડે સચીન કનકપુર કનસાડ ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગઈકાલે રાત્રે રૂમ બદલવા મુદે દંપત્તિ (Couple) વચ્ચે ઝઘડો થયો હતો. જેથી ઉશ્કેરાયેલા પતિએ પત્નીને દોરાથી ફાંસો આપી હત્યા (Murder) કરી બાદમાં પોતે ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

  • સચીન કનકપુર કનસાડમાં પત્નીની હત્યા કરી પતિનો ટ્રેન આગળ પડતું મૂકી આપઘાત
  • દંપત્તિ વચ્ચે રૂમ બદલવાને લઈને ઝઘડો ચાલતો હતો, યુવકે બે સંતાનોની માતા સાથે પ્રેમલગ્ન કર્યા હતા
  • પડોશીએ બંનેને સમજાવી શાંત પાડ્યા બાદ મોડી રાત્રે ફરી ઝઘડો થતાં રાત્રે ઉશ્કેરાયેલા નરસિંહે કંચનબેનની દોરીથી ગળું દબાવી હત્યા કરી નાખી

સચીન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સચીન કનકપુર કનસાડ રોડ શ્રીરામનગર સોસાયટીમાં રહેતા નરસિંહ અને તેની પત્ની કંચનબેન (ઉ.વ.30) વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ઘર બદલવાના મુદે ઝઘડો ચાલતો હતો. ગઈકાલે રાત્રે આ મુદ્દે દંપત્તિ વચ્ચે ઝઘડો થતા એક વખત પડોશીએ દોડી આવી બંનેને સમજાવી શાંત પાડ્યા હતા. પરંતુ મોડી રાત્રે ફરી વખત તેમનો ઝઘડો થયો હતો. જેથી રાત્રે ઉશ્કેરાયેલા નરસિંહે કંચનબેનની દોરીથી ગળું દબાવી હત્યા કરી નાખી હતી.

પત્નીની હત્યા કર્યા બાદ તેને પસ્તાવો થતા પોતે સચીન રેલવે સ્ટેશન નજીક રેલવે ફાટક પાસે પહોંચી ગયો હતો અને ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. બનાવને પગલે સચીન પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. કંચનબેનનો મૃતદેહ નવી સિવિલ હોસ્પિ.માં ખસેડી પોસ્ટમોર્ટમ કરાવાયું હતું. જ્યાં મોતનું કારણ ગળે ટુંપો આપી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પતિ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે વધારે તપાસ હાથ ધરતા નરસિંહની લાશ રેલવે ટ્રેક પર મળી આવી હતી.

મહિલાએ બીજા લગ્ન કર્યા હતા, બંનેના પ્રેમ લગ્ન હતા
કંચનબેને નરસિંહ સાથે બીજા લગ્ન કર્યા હતા. કંચનને પહેલા પતિ થકી સંતાનમાં બે બાળકો છે. નરસિંહ તેની સાથે લગ્ન કરી પસ્તાવો પણ અનુભવતો હતો. અને બીજી બાજું ઘર બદલવાના મુદ્દે ચાલી રહેલો ઝઘડો હતો. હાલ કંચનને એકાદ મહિનાનો ગર્ભ હોય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. જોકે પીએમ રિપોર્ટ આવ્યા બાદ તે અંગે વધારે સચોટ જાણી શકાશે.

Most Popular

To Top