SURAT

‘મેં ઝેર પી લીધું છે, મને લેવા માટે આવો’ તેવો દીકરીને ફોન કરી પિતાએ આત્મહત્યા કરી લીધી

સુરત: (Surat) ‘મેં એ ઝેર પી લીધું છે, મને અહીં લેવા માટે આવો’ તેમ દીકરીને ફોન (Phone) કરી પિતાએ આત્મહત્યા કરી લીધી હતી. ડભોલીમાં રહેતા ભરતભાઈ કાકડિયાએ વરિયાવ બ્રિજ પાસે ઝેર પીને પરિવારને જાણ કરતા પરિવાર દોડીને આવ્યું અને ભરતભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઈને ગયા હતા. પરંતુ તેઓને બચાવી શકાયા નથી.

  • ‘મેં ઝેર પી લીધું છે, મને લેવા માટે આવો’ તેવો દીકરીને ફોન કરી પિતાએ આત્મહત્યા કરી લીધી
  • ભરતભાઈ કાકડિયાએ વરિયાવ બ્રિજ પાસે ઝેર પીને પરિવારને જાણ કરતા પરિવાર દોડીને આવ્યું

સ્મીમેર હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ ભાવનગરના વતની ભરત હીરજીભાઈ કાકડીયા (55 વર્ષ) હાલ ડભોલી ખાતે રામપાલ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતા. ભરતભાઈ નિવૃત્ત જીવન વ્યતીત કરતા હતા. શનિવારે બપોરે ભરતભાઈએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. ભરતભાઈના જમાઈ જીગરે જણાવ્યું હતું કે, ભરતભાઈએ શનિવારે બપોરે તેમની દીકરી કક્ષાબેન તેમજ તેની ભાભી લલિતાબેનને ફોન કરીને કહ્યું હતું કે ‘મેં વરિયાવ બ્રિજની નીચે તાપી નદીના કિનારે ઝેર પી લીધું છે, મને અહીં લેવા માટે આવો’ જેથી અમે બધા દોડીને સ્થળે આવ્યા હતા. જ્યાંથી ભરતભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

Most Popular

To Top