SURAT

‘આપ’ની ગુજરાતમાં દસ લાખ યુવાઓને રોજગાર આપવાની વાત બોગસ

સુરત: (Surat) હિન્દુ ઇકોસિસ્ટમ અને ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા શનિવારે સંજીવકુમાર ઓડિટરિયમ ખાતે ‘‘રાજનીતિ મે રાષ્ટ્રનીતિ’ (Rajniti Me Rashtraniti)’ વિષય પર કપિલ મિશ્રાના (Kapil Mishra) વક્તવ્યનું (Speech) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કપિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની (Aam Admi Party) સરકાર બનશે તો દસ લાખ યુવાઓને રોજગાર આપવાની ગેરંટીની વાત બોગસ છે. આવી વાતો કરીને ગુજરાતના યુવાનો સાથે સફેદ જુઠ બોલવામાં આવી રહ્યું છે.

  • ‘આપ’ની ગુજરાતમાં દસ લાખ યુવાઓને રોજગાર આપવાની વાત બોગસ : કપિલ મિશ્રા
  • સંજીવકુમાર ઓડિટરિયમ ખાતે ‘‘રાજનીતિ મે રાષ્ટ્રનીતિ’’ વિષય પર કપિલ મિશ્રાના વક્તવ્ય
  • ગુજરાતના યુવાનો સાથે સફેદ જુઠ બોલવામાં આવી રહ્યું છે: કપિલ મિશ્રા

કપિલ મિશ્રાએ આમ આદમી પાર્ટીની સરકાર પર પ્રહારો કર્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કેજરીવાલ ગુજરાતમાં આવી કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાના વાયદાઓ કરી રહ્યા છે પણ દિલ્લીની હકીકત એ છે કે, ખુદ મુખ્યમંત્રીની ઓફિસમાં 17 કોન્ટ્રાક્ટ કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે પહેલા તેમને તો કાયમી કરવામાં આવે. સાથે જ કેજરીવાલે દિલ્લીમાં 12 લાખ ને રોજગારીનો દાવો કર્યો હતો પણ ખુદ દિલ્લી સરકારની આરટીઆઇ કહે છે કે આઠ વર્ષમાં 3246 લોકોને જ નોકરી મળી છે. આ ઉપરાંત આઠ વર્ષમાં દિલ્લીમાં એક પણ નવી સ્કૂલ કે કોલેજ બનાવી નથી અને ગુજરાતમાં દિલ્લીના શિક્ષા મોડેલની વાત કરી રહ્યા છે. દિલ્લી અને ગુજરાત મોડેલ વિશે વાત કરતાં કહ્યું હતું કે ગુજરાતનું અમદાવાદ રિવરફ્રન્ટ મોડેલ છે અને એક દિલ્હીનું યમુના નદીના કિનારે રોહિંગ્યા ફ્રન્ટ છે.

Most Popular

To Top