Comments

શિક્ષણમાં અભ્યાસ અને વાચન એ નૈતિક જવબદારી છે જે નિભાવવી જ પડે

“કુવરબાઈ નું મામેરું કૃતિ ના લેખક કોણ છે”? ‘શ્રી મયુર”…આજથી વીસ વર્ષ પહેલા, આ કરુણ કટાક્ષ ખરેખર બન્યો હતો. જ્યારે એક સાક્ષરે એક કોલેજ યુવકને પ્રશ્ન કર્યો હતો. આમતો દેશના જાહેર માધ્યમો માં અવાર નવાર શિક્ષણના ભગવા કરણ કે હિંદુ વિચાર ધરા તરફ ઢાળવાના સમચારો ચર્ચાયા કરે છે પણ આપડે ત્યાં શિક્ષણનું ભગવાકરણ કે ડાબેરીકરણ ની ચિંતા કરવા કરતા શિક્ષણનું ગાઈડકરણ થઇ ગયું છે તેની ચિંતા કરવા જેવી છે અને અત્યારે આ લખાય છે ત્યારે તો વિદ્યાર્થીઓ ગાઈડ પણ પણ વાચતા નથી અને કાપલી ના સહારે આવી ગયા છે તે ગંભીર બાબત છે.

જો ગુજરાત નો કોઈ પત્રકાર કોલેજો ની પરીક્ષા વખતે કોલેજ ના મેદાનમાં જાય તો લગભગ કોથળો ભરી ને માઈક્રો ઝેરોક્ષ કોપી લઇ આવે તેવી સ્થિતિ છે. અધ્યાપકો કે શિક્ષકો કાપલીઓ ઉઘરાવી ને થાકી જાય છે કોઈ જાદુગર ના ખીચામાથી, ટોપી માંથી, શર્ટની બાઈ માંથી…અરે હવામાંથી જેર્મ વસ્તુ નીકળે તેમ વિદ્યાર્થીના આસપાસ થી કોપી નીકળે છે. ક્યાકતો વાઈ ફાઈ મોડમાં કોપી થાય છે કારણ એક જ છે કે વાચન નથી મહેનત નથી એવું નથી કે માત્ર સામાન્ય પ્રવાહ માં આવું થાય છે મેડીકલ અને એન્જીનીયરીંગ માં પણ સંદર્ભ ગ્રન્થ વાચન ઘટતું જાય છે.

ઓછામાં ઓછું ગુજરતમાં તો અભ્યાસ માટે જે આગ્રહ હોવો જોઈએ તે દેખાતો નથી. માં બાપ પણ હવે બાળકોને વાચવા બેસ એમ કહેતા હશે કે કેમ તે પ્રશ્ન છે. નૈતિકતા ના ઈજેક્શન મળતા નથી. ના તેના ભૌતિક માપદંડો છે. નૈતિકતા તો આપડા વ્યવહારમાં દેખાય અને તે માટે અપન્નને કોઈં શું પ્રમાણપત્ર આપે આપડે જાતેજ અનુભવીએ કે આપને સાચું કરીએ છીએ કે ખોટું ? આજે આ પતન માત્ર વિદ્યાર્થીઓ માં આવ્યું છે તેચ્વું નથી. થોડાક અભ્યાસુ શિક્ષકો અને અધ્યાપકો ને બાદ કરતા શિક્ષણ ક્ષેત્રે શિક્ષકો નો મોટો વર્ગ છે જે વાંચતો જ નથી વળી તે પોતેજ પોતાના સંશોધન પત્રો. ખાતાકીય પરીક્ષાઓ કે કોરોના પછી ઓનલાઈન વર્ગ કે પરીક્ષામાં ખુલ્લે આમ કોપી કરે છે. હવે જે શિક્ષક કે અધ્યાપક જ ગાઈડ કે પ્રશ્નોતરી રૂપ ચોપડી ના આધારે ભણાવતા હોય, પોતાની જ રજૂઆત કે પરીક્ષમાં ચોરી કરત્તા હોય તે વિદ્યાર્થીઓને કઈ રીતે નીતિમત્તાના પાઠ ભણાવે?

એ સાચું જ છે કે આજે વિજ્ઞાન અને ટેકનોલોજી નો વ્યાપ વધવા સાથે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ ટેકનો સેવી બન્યા છે અનેક શિક્ષકો અધ્યાપકો પોતાની યુ ટ્યુબ ચેનલો ચલાવે છે. બ્લોગ લખે છે. સરકારી પરિપત્રો અને સ્પર્ધાત્મક પરીક્ષાની સતત અપડેટ આપતા રહે છે પણ કુલ સંખ્યામાં આ વર્ગ નાનો છે ઉલટાનું આ વોટસેપ સોસીયલ મીડિયા અને ગુગલ ગુરુએ અનેક વિદ્યાર્થીઓ અને શિક્ષક અધ્યાપક ને સાવ પાંગળા બનાવી દીધા છે. ના કરે નારાયણ ને વીજળી 24 કલાક માટે ગુલ થાય તો આ આ તમામ નું શિક્ષણ અને સંશોધન અટકી જાય.

ખનગી કરણ ના યુગમાં શાળા કોલેજો ખાનગી ધોરણે ખુલી છે થોડી શિક્ષણ સંસ્થાઓ ઉચા પગાર આપી કર્મચારીઓ ને રાખે છે પણ મોટાભાગની તો ઓછા પગાર માં શિક્ષકો રાખે છે અહી વિદ્યાર્થીના અભયસ કરતા આવક વધારે મહત્વ ધરાવે છે. સંચાલકો તો લાલચુ હોય એ માની શકાય પણ શિક્ષક અને વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માં આળસુ હોય તે સ્વીકરી શકાય નહી. ખાનગી શિક્ષણ ની અનેક મર્યાદા હોવા છતાં જ્ઞાન પ્રાપ્તિની ઝંખના જ ના હોય તે વાત વિદ્યાર્થી કે શિક્ષક માટે સ્વીકારી શકાય નહી.

સાહિત્ય નો અભ્યાસ કરનારને સાહિત્ય કૃતિ પાઠ્યક્રમ રૂપે ભણવાની આવે ગુજરતીમાં પૃથ્વીવલ્લભ કે કુંવરબાઈનું મામેરું ભણવાનું હોય તો સ્વાભાવિક છે કે બધા વિદ્યાર્થી આ પુસ્તક આખું ના ખરીદે પણ શાળા કોલોએજ ની લાઈબ્રેરી કે બીજી કોઈં રીતે લઈને વાચી તો શકે જ. આજે તો કેટલી બધી કૃતિ ઓનલાઈન છે. એક રીતે ૧૯૯૦ પહેલા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે શિક્ષકો માટે અભયસ સામગ્રી સંદર્ભ ગ્ર્નાથો મળવા ખરેખર મુસ્કેલ હતા આજે તે બધું જ આગળીનાં ટેરવે છે. જો નેટફ્લીક્ષ નો પાસવર્ડ લઇ ને એક માં ચાર લોકો ફિલ્મ જોઈ શકે તો એક પુસ્તક કે ઓનલાઈન કોર્સ ચાર જણા વાચી જ શકે. મૂળ વાત છે નિસ્બત અને નૈતિકતાની અને શિક્ષણમાં તે ખત્મ થતી જાય છે.

બધે ચાલશે પણ શિક્ષણમાં આળસ અને ચોરી નહિ ચાલે. શિક્ષક અને અધ્યાપક મંડળો માટે વર્ષો થી આ ફરિયાદ રહી જ છે કે જેમ તમે પગાર પંચો કે કલ્યાણ યોજનાઓ ના પુરેપુરા અમલ માટે સરકાર ને આગ્રહ પૂર્વક ફરજ પાડો છો તેવી જ રીતે સંગઠન ના સભ્યોને અભયસ અને સતત અપડેટ થવા માટે પણ આગ્રહ કરો. બધી જ માંગણીકરો પણ કદી ગુણવત્તા સાથે બાંધછોડ ની માંગણી ના કરો. વિદ્યાથીઓ ને વાચતા લખવા કરવા માટે શિક્ષક અધ્યાપકે વાંચવું લખવું પડશે. નૈતિક જવાબદારી એ શિક્ષણ જગતની પ્રથીક માગ છે જે નિભાવવી જ પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top