Gujarat

રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ઘટ, ભરતી કેલેન્ડર પ્રમાણે ભરતીની પ્રક્રિયા ચાલુ: શિક્ષણ મંત્રી

ગાંધીનગર: શાળામાં (School) શિક્ષકોની (Teacher) ઘટ છે તેવી તમામ શાળાઓમાં ભરતી કેલેન્ડર પ્રમાણે શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ત્યાં સુધી બાળકોનું શિક્ષણ (Education) ન અટકે તે માટે પ્રવાસી શિક્ષકોની નિમણુંક પણ કરવામાં આવી છે, તેવું વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું.

જે પ્રમાણે જામનગર જિલ્લામાં ૧૦૨ પ્રવાસી શિક્ષક તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨૫૬ પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત, જે વિદ્યાર્થીઓને શાળાથી પોતાના ઘરનું અંતર વધુ છે તેવા વિદ્યાર્થીઓ માટે વાહન વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, જે શાળામાં ઓછા બાળકો છે ત્યાં પણ શિક્ષકોની ફાળવણી કરવામાં આવે છે. જે શાળામાં એક વર્ગખંડમાં માત્ર ત્રણથી ચાર વિદ્યાર્થીઓ છે તેવા વર્ગખંડની શાળાઓમાં પણ શિક્ષકોની ફાળવણી કરવામાં આવી રહી છે. જેથી દરેક બાળકને યોગ્ય શિક્ષણ મળી રહે.

Most Popular

To Top