Gujarat Main

જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીની કાલે મતગણતરી, રાજ્યનાં 21608 ઉમેદવારોના ભાવીનો ફેંસલો

ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં 31 જિલ્લા પંચાયતો , 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાઓની ચૂંટણી માટે સરેરાશ 60થી 65 ટકા મતદાન થયા બાદ હવે આવતીકાલ સવારે મત ગણતરી (Counting) હાથ ધરવામાં આવનાર છે. જેમાં એકંદરે 21608 જેટલા ઉમેદવારોના ભાવીનો ફેંસલો થઈ જશે. ભાજપની (BJP) નેતાગીરી એવો વિશ્વાસ વ્યકત્ત કર્યો હતો કે મનપાની ચૂટણીના પરિણામોનું પુનરાવર્તન થવાનું છે. જ્યારે કોંગ્રેસની (Congress) નેતાગીરીએ પરિવર્તન થશે તેવો દાવો કર્યો હતો.

81 નગરપાલિકાની 2625 બેઠકો માટે 7246 ઉમેદવારો, 31 જિલ્લા પંચાયતોની 955 બેઠકો માટે 2655 ઉમેદવારો અને 231 તાલુકા પંચાયતોની 4655 બેઠકો માટે 11707 ઉમેદવારો ચૂંટણી જંગ લડી રહ્યા છે. આ ઉપરાંત 237 બેઠકો બિન હરીફ જાહેર થઈ હતી.
લોખંડી સલામતી વ્યવસ્થા વચ્ચે રાજ્યમાં મત ગણતરી હાથ દરાનાર છે. અગાઉ રાજ્યની છ મનપાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. જો કે સુરતમાં ભાજપને મળેલી બહુમતી ઉપરાંત આપ પાર્ટીને 27 બેઠકો મળી હતી. જ્યારે ઓવૈસીની પાર્ટીને અમદાવાદમાં સાત બેઠકો મળતાં ખાતુ ખુલ્યુ હતું.

ભાજપની નેતાગીરી એવો વિશ્વાસ વ્યકત્ત કર્યો હતો કે મનપાની ચૂટણીના પરિણામોનું પુનરાવર્તન થવાનું છે. જ્યારે કોંગ્રેસની નેતાગીરીએ પરિવર્તન થશે તેવો દાવો કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસના પ્રવકત્તા ડૉ મનીષ દોશીએ કહ્યું હતુ કે આવતીકાલે જે 31 જિલ્લા પંચાયતો માટે મત ગણતરી હાથ ધરાનાર છે તેમાં અગાઉ કોંગ્રેસ પાસે 23 જિલ્લા પંચાયતો હતી. જે પાછળથી તૂટી જતાં છેલ્લે કોંગી પાસે 16 જિલ્લા પંચાયતો રહી હતી.

જિલ્લા પંચાયતની 34, તાલુકા પંચાયતોની 176 તેમજ 4 ન.પા.ની ચૂંટણીની મતગણતરી

(surat) સુરત જિલ્લામાં ગત રવિવારે યોજાયેલી જિલ્લા પંચાયતની 34, તાલુકા પંચાયતોની 176 તેમજ 4 નગરપાલિકાઓની ચૂંટણીની મતગણતરીની (Counting of votes) પ્રક્રિયા આવતીકાલ તા.2 માર્ચ 2021ના રોજ સવારે 8 કલાકથી જુદા જુદા 9 સ્થળોએ હાથ ધરવામાં આવશે. ચોયાર્સી તાલુકા પંચાયતની (Taluka Panchayat) મતગણના સુરતના પીપલોદ સ્થિત શારદાયતન સ્કુલ ખાતે, ઓલપાડ તાલુકા પંચાયતની મતગણતરી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઓલપાડ ખાતે, કામરેજ તાલુકા પંચાયતની મતગણતરી રૂમ નં.16, ભક્તા કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે, પલસાણા તાલુકા પંચાયતની મતગણના ડીબી હાઇસ્કુલ પલસાણા ખાતે કરાશે.

બારડોલી તાલુકા પંચાયતની મતગણતરી અસ્તાન કન્યા વિદ્યાલય અસ્તાન ખાતે, મહુવા તાલુકા પંચાયતની મતગણતરી કાછલ સ્થિત સરકારી કોલેજ ખાતે, માંડવી તાલુકા પંચાયતની મતગણતરી માંડવી સ્થિત અવિચળ કોલેજ સંકુલમાં, માંગરોળની મતગણતરી એસ.પી. મદ્રેસા હાઇસ્કુલ માગરોળ ખાતે અને ઉમરપાડા તાલુકા પંચાયતની મતગણતરી સરકારી કોલે ઉમરપાડા ખાતે યોજાશે. આ દરેક સ્થળે જે તે તાલુકા પંચાયતમાં આવતી જિલ્લા પંચાયતોની સીટોની મતગણના પણ સમાંતર યોજાશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top