Gujarat

વડાપ્રધાન મોદી 22મીએ રોજગાર મેળા-10 લાખ કર્મચારીઓ માટે ભરતી અભિયાનની શરૂઆત કરાવશે

અમદાવાદ: વડાપ્રધાન (PM) 22મી ઑક્ટોબર, 2022ના રોજ રોજગાર મેળા – 10 લાખ કર્મચારીઓ માટે ભરતી (Recruitment) અભિયાન શરૂ કરશે. PM આ પ્રસંગે રોજગાર મેળા હેઠળ સરકારી નોકરીઓમાં નવી ભરતી કરનારાઓને સંબોધિત કરશે, પ્રથમ તબક્કામાં 75,000 નવી નિમણૂક કરવામાં આવશે, પશ્ચિમ રેલવે પર અમદાવાદ અને વડોદરા સહિત વિવિધ સ્થળોએ નવી નિમણૂક પામેલી ભરતીઓને નિમણૂક પત્રો આપવામાં આવશે. ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે પસંદગી પ્રક્રિયા સરળ અને ટેક સક્ષમ આ કાર્યક્રમ યુવાનો માટે નોકરીની તકો પૂરી પાડવા અને નાગરિક કલ્યાણની ખાતરી કરવા માટે સરકારની સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22મી ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળા – 10 લાખ કર્મચારીઓની ભરતી ઝુંબેશની શરૂઆત કરશે. સમારોહ દરમિયાન, 75,000 નવા નિમણૂક પામેલાઓને નિમણૂક પત્રો આપવામાં આવશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નવા નિયુક્ત પામેલાઓને પણ સંબોધિત કરશે. નિમણૂક કરનારાઓ દેશના વિવિધ ભાગોમાં 50 સ્થાનો પર હાજર રહેશે જેનું આયોજન વિવિધ મંત્રાલયો/વિભાગો દ્વારા કરવામાં આવશે. આ સમારોહમાં દરેક સ્થાન પર યુનિયન મંત્રી હાજરી આપશે.

આ સંબંધમાં પશ્ચિમ રેલવે પર અમદાવાદ અને વડોદરા ખાતે રોજગારમેળાનું આયોજન કરવામાં આવશે. ટેક્સટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં લગભગ 155 રિક્રુટ્સ હાજર રહેશે, જેમાંથી 94 રિક્રુટ્સ રેલવેના છે. સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ, વડોદરા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં લગભગ 116 રિક્રુટ્સ હાજર રહેશે, જેમાંથી 50 રિક્રુટ્સ રેલવેના છે. નવા નિમણૂક પામેલાઓને નિમણૂક પત્રો બંને સ્થાનો પર મહાનુભાવો દ્વારા આપવામાં આવશે. યુવાનો માટે નોકરીની તકો પૂરી પાડવા અને નાગરિકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે પ્રધાનમંત્રીની સતત પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું હશે. પ્રધાનમંત્રીના નિર્દેશો મુજબ, તમામ મંત્રાલયો અને વિભાગો મિશન મોડમાં મંજૂર પોસ્ટ્સ સામે હાલની ખાલી જગ્યાઓ ભરવા માટે કામ કરી રહ્યા છે.

દેશભરમાંથી પસંદ કરાયેલી નવી ભરતીઓ ભારત સરકારના 38 મંત્રાલયો/વિભાગોમાં જોડાશે
દેશભરમાંથી પસંદ કરાયેલી નવી ભરતીઓ ભારત સરકારના 38 મંત્રાલયો/વિભાગોમાં જોડાશે. નિમણૂંક પામેલાઓ વિવિધ સ્તરે સરકારમાં જોડાશે જેમ કે. ગ્રુપ – A, ગ્રુપ – બી (રાજપત્રિત), ગ્રુપ – બી (નોન-ગેઝેટેડ) અને ગ્રુપ – સી. જે જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવી રહી છે તેમાં સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સ પર્સોનલ, સબ ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, એલડીસી, સ્ટેનો, પીએ, ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર, MTS વગેરેનો સમાવેશ થાય છે. આ ભરતીઓ મિશન મોડમાં મંત્રાલયો અને વિભાગો દ્વારા અથવા તો UPSC, SSC, રેલ્વે ભરતી બોર્ડ જેવી ભરતી એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ઝડપી ભરતી માટે, પસંદગી પ્રક્રિયાઓને સરળ બનાવવામાં આવી છે અને તકનીકી સક્ષમ બનાવવામાં આવી છે.

Most Popular

To Top