Top News

રેપકાંડમાં પાવાગઢનો ટ્રસ્ટી ક્રાઇમ બ્રાન્ચમાં થયો હાજર: યુવતીને છાતી પર માર મારી આચર્યું હતું દુષ્કર્મ

વડોદરા (Vadodara) શહેરના ચકચારી બળાત્કારપ્રકરણ (rape)ની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાયા બાદ હાલ તપાસ તેજ બની ગઇ છે. આ હાઇપ્રોફાઇલ બળાત્કારપ્રકરણમાં આરોપી (accused) અને પાવાગઢ મંદિરના પૂર્વ ટ્રસ્ટી (pavgadh temple trusty) રાજુ ભટ્ટ ક્રાઇમ બ્રાંચ (crime branch)માં હાજર થયો છે.

શુક્રવારે એલએલબી (LLB)ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી પીડિતાની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેણે આરોપીઓ અશોક જૈન અને રાજુ ભટ્ટ સામે માર મારવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. યુવતીને છાતી અને પેઢા પર મુક્કા-લાતો મારી નરાધમો રાજુ ભટ્ટ અને અશોક જૈને હેવાનિયત પર ઊતરી આવી દુષ્કર્મ આચર્યું હતું. જેમાં પાવાગઢના પૂર્વ ટ્રસ્ટીએ હાજરી આપી છે, તો બીજો આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈન વડોદરા બહાર સલામત સ્થળે આશ્રય લઇ રહ્યો છે, જો કે તે પણ આગામી દિવસોમાં ક્રાઇમ બ્રાંચમાં હાજર થઇ જાય એવી શક્યતા સિવાય રહી છે. અહીં આશ્ચર્યની વાત એ છે કે આ હાઇપ્રોફાઇલ બળાત્કાર પ્રકરણમાં મીડિયાને દૂર રાખવા ક્રાઇમ બ્રાંચ દ્વારા કચેરીના ગેટ બંધ કરી દેવાયા છે.

મહત્વની વાત છે કે હાલ તો ક્રાઇમ બ્રાંચ દ્વારા આ મીડિયાને અંગે કોઇ સમર્થન આપવામાં આવ્યું નથી. કારણ કે ક્રાઇમ બ્રાંચ દ્વારા આ પ્રકરણથી મીડિયાને દૂર રાખવા માટે પાણીગેટ ભદ્રકચેરી સ્થિત ક્રાઇમ બ્રાંચની કચેરીનો મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. બીજી બાજુ, ક્રાઇમ બ્રાંચે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચાર ટીમ બનાવતાં બે આરોપી પૈકી પાવાગઢ ટ્રસ્ટી મંડળના પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટ વહેલી સવારે ક્રાઇમ બ્રાંચમાં હાજર થઇ ગયો હોવાનું વર્તુળો દ્વારા જાણવા મળ્યું હતું. મળેલી માહિતી પ્રમાણે, બળાત્કારના બંને આરોપી વિદેશ ફરાર ન થઇ જાય એ માટે તકેદારીના ભાગ રૂપે પોલીસ તંત્ર દ્વારા તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત એમ્બેસીને આરોપીઓ અંગેની જરૂરી સૂચના આપી દેવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે વિદેશ ભાગી જવું મુશ્કેલ જણાતાં બે આરોપીઓ પૈકી રાજુ ભટ્ટ આજે સવારે ક્રાઇમ બ્રાંચ સમક્ષ હાજર થઇ ગયો હતો, જ્યારે અશોક જૈન હજુ પણ પોલીસ ધરપકડથી દૂર છે. જોકે તે પણ આગામી કલાકોમાં હાજર થઇ જાય એવી શક્યતાઓને નકારી શકાય એમ નથી. હાલ તો ક્રાઇમ બ્રાંચ દ્વારા આ પ્રકરણ સંબંધી અન્ય વ્યક્તિઓની પણ આગામી દિવસોમાં પૂછપરછ કરવા માટેની યાદી તૈયાર કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં સવારથી ક્રાઇમ બ્રાંચ દ્વારા ફરાર આરોપી અશોક જૈનની ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓની પૂછપરછ સહિત નિવેદનો લેવાની શરૂઆત કરી હતી.

મળતી માહિતી મુજબ હાઇપ્રોફાઇલ રેપકાંડમાં આરોપીઓના પીડિતા સાથેના બેડરૂમના ફોટા વાઈરલ થતાં ચકચાર મચી ગઇ હતી. અને હવે ફોટા વાઇરલ થયા બાદ તપાસમાં સંડોવણીની બીકે આરોપીઓ સાથે નિકટનો સંબંધ ધરાવતી વ્યક્તિઓએ પણ પોતાના ફોન સ્વિચઓફ કરી દેવાયા છે.

Most Popular

To Top