National

રામજન્મભૂમિને બોમ્બથી ઉડાવી દેવાની ઘમકીના ફોનથી ખળભળાટ

નવી દિલ્હી: એક તરફ સમગ્ર ભારત રામ મંદિર (Ram Temple) બનવાની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે ત્યાં બીજી તરફ ગુરુવારની વહેલી સવારે લગભગ 5.30 વાગ્યાની આસપાસ રામ જન્મભૂમિ ઉપર બની રહેલા રામ મંદિરને બોમ્બથી (Bomb) ઉડાવી દેવાની ધમકી (Threat) મળી હતી. જેના કારણે સમગ્ર અયોધ્યામાં ખળભળાટ મચી ઉઠ્યો છે. આ અંગેની ફરિયાદ પોલીસમાં (Police) નોંધવામાં આવતા પોલીસે પોતાની તપાસ શરૂ કરી દીધી છે તેમજ પોતાનો બંદોબસ્ત સમગ્ર મંદિરની આસપાસ ગોઠવી દીધો છે.

એક તરફ જ્યાં જોરશોરથી અયોધ્યામાં રામમંદિર બની રહ્યું છે તે વચ્ચે રામજન્મભૂમિને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. રામ જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને દેશ અને દુનિયાની નજર આ મંદિર પર ટકેલી છે. દરમિયાન રામ જન્મભૂમિને લઈને મળેલી ધમકીથી ખળભળાટ મચી ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે રામ જન્મભૂમિના યલો ઝોન વિસ્તારમાં આવેલા રામલલા સદનમાં રહેતા મનોજ કુમારના મોબાઈલ પર ધમકીભર્યો કોલ આવ્યો હતો. જો કે કોલ કોણે કર્યો તેની માહિતી હજુ સુધી મળી નથી.

ગુરુવારે સવારે 5:30 વાગ્યે રામલલા સદનમાં રહેતા મનોજ કુમારને અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને ધમકી આપી હતી કે તે રામજન્મભૂમિને આજે સવારે 10 વાગ્યા સુઘી બોમ્બથી ઉડાવી દેશે. આ ધમકી ભર્યા ફોન પછી મનોજ કુમારે તરત જ પોલીસને આ અંગેની જાણ કરી હતી. રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે એફઆઈઆર નોંધી હતી. પોલીસને ઘટના અંગેની જાણ થતાં પોલીસ પણ હાઈ એલર્ટ મોડ ઉપર છે.

નેપાળની ગંડકી નદીમાંથી વિશેષ પવિત્ર ખડકો અયોધ્યા પહોંચ્યા
જણાવી દઈએ કે નેપાળની ગંડકી નદીમાંથી વિશેષ પવિત્ર ખડકો અયોધ્યા પહોંચ્યા છે, જેનો ઉપયોગ અયોધ્યામાં બની રહેલા શ્રી રામ મંદિરમાં સ્થાપિત કરવા માટે ભગવાન રામની મૂર્તિને કોતરીને કરવામાં આવે છે. આ પવિત્ર પથ્થરો બુધવારે મોડી રાત્રે અયોધ્યા પહોંચ્યા અને ગુરુવારે બપોરે વિશેષ પ્રાર્થના પછી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સોંપવામાં આવ્યા હતા. અહીં 51 વૈદિક શિક્ષકોએ શાલિગ્રામની પવિત્ર શિલાઓનું પૂજન કર્યું અને ત્યાર બાદ તેને મંદિર ટ્રસ્ટને સોંપવામાં આવી હતી. નેપાળના જાનકી મંદિરના મહંત તપેશ્વર દાસે આ શાલિગ્રામ ખડકો શ્રી રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને અર્પણ કર્યા હતા. આ પત્થરોમાંથી કોતરવામાં આવેલી રામની બાળ સ્વરૂપ મૂર્તિને રામ મંદિરના ગર્ભગૃહમાં મૂકવામાં આવશે, જે આવતા વર્ષે જાન્યુઆરીમાં મકરસંક્રાંતિ સુધીમાં તૈયાર થવાની અપેક્ષા છે.

Most Popular

To Top