National

રેલવેની નિષ્ફળતા: 4 મહિનામાં 730ના લક્ષ્યાંકની સામે માત્ર 53 કોચ બન્યા

નવી દિલ્હી: ભારતીય રેલવેમાં (Railway) કોચના નિર્માણને લઈને એક નિરાશાજનક સમાચાર (News) સામે આવ્યા છે. વાસ્તવમાં, રેલવેએ જણાવ્યું છે કે તેની મોટી ફેક્ટરીઓ નિર્ધારિત સમયમર્યાદામાં ઉત્પાદન લક્ષ્યને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે. રેલવેએ આ માટે યુક્રેન યુદ્ધના કારણે સપ્લાય ચેઇનમાં વિક્ષેપને જવાબદાર ગણાવ્યો હતો. એક સત્તાવાર નિવેદનમાં રેલવેએ જણાવ્યું છે કે, રેલવે ફેક્ટરીઓએ આ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં 730 કોચના લક્ષ્યાંક સામે લોકલ ટ્રેનો માટે માત્ર 53 કોચનું ઉત્પાદન કર્યું હતું. નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, આઇસીએફ-ચેન્નઈનું 20 ટકા કામ, આરસીએફ-કપુરથલાનું 10 ટકા અને એમસીએફ-રાયબરેલીનું 56 ટકા કામ અધૂરું છે.

  • આ માટે રેલવેએ યુક્રેન યુદ્ધનું કારણ આપ્યું
  • બીજી પણ અનેક બાબતોમાં ભારતીય રેલવે લક્ષ ચૂકી ગઇ છે

દસ્તાવેજો દર્શાવે છે કે જુલાઇની બેઠકમાં યુક્રેન યુદ્ધને કારણે પ્રોપલ્શન સિસ્ટમ્સ, ટ્રેક્શન મોટર્સ અને લોકોમોટિવ વ્હીલ્સનો ટૂંકો પુરવઠો ઉત્પાદન લક્ષ્યોને હાંસલ કરવામાં મુખ્ય અવરોધ બની રહ્યો હતો અને તેની ચર્ચા કરવામાં આવી હતી. દસ્તાવેજો દર્શાવે છે કે પુરવઠાની પ્રતિબદ્ધતાઓ પૂરી ન કરવા છતાં તે જ કંપનીઓને નવા ઓર્ડર આપવામાં આવી રહ્યા છે જે અત્યંત ઊંચા ડિલિવરી સમય ધરાવે છે. દસ્તાવેજોમાં જણાવાયું છે કે રેલવે વ્હીલ ફેક્ટરી દ્વારા વ્હીલસેટ્સનું ઉત્પાદન પ્રમાણસર લક્ષ્ય કરતાં 21.96 ટકા ઓછું છે અને રેલ વ્હીલ પ્લાન્ટ, બેલા દ્વારા લક્ષ્યાંક કરતાં 64.4 ટકા ઓછું છે. એ જ રીતે, આ નાણાકીય વર્ષ દરમિયાન જુલાઈ સુધી લોકોમોટિવ્સનું ઉત્પાદન લક્ષ્યાંક કરતાં લગભગ 28 ટકા ઓછું છે. તે જણાવે છે કે જૂન સુધી 100 દિવસમાં 40 લોકોમોટિવ ઓછા બનાવવામાં આવ્યા છે.

Most Popular

To Top