GANDHINAGAR : દેશના વિવિધ રાજયોમાં કોરોનાના ( CORONA) કેસો વધી જતાં પીએમ નરેન્દ્ર મોદી ( PM NARENDRA MODI ) એ યોજેલી વીડિયો...
આખા વિશ્વની સાથે સાથે ભારત દેશમાં પણ કોરોનાનો કેર ફરી વધવા માંડ્યો છે. સુરતમાં કોરોનાના કેસ 250થી વધુ થઈ ગયા છે. ગુજરાતમાં...
ગોધરા : ગોધરા નગર પાલિકાની ચૂંટણી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સરદાર નગર ખંડ ખાતે યોજાઇ હતી. પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં આમ મીમના સાત...
સુરત શહેરમાં વિકાસના કામોને આગળ ધપાવવા અને સુરતને ફરી એક નવું સ્વરૂપ આપવા ફરીથી નવા સમિતિ હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં...
રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે નવા 1,122 કેસ નોંધાયા હતા. તેની સામે 775 દર્દીઓ સાજા થયા છે....
ઇંગ્લેન્ડ સામે હાલ રમાઇ રહેલી પાંચ મેચની ટી-20 સીરિઝની ત્રણમાંથી બે મેચમાં આશા અનુસારનું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહેલી ટીમ ઇન્ડિયા ગુરૂવારે અહીં...
દેશના ભાગોમાં કોરોનાના વધતા કેસો અંગે ચિંતા વ્યક્ત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોના વાયરસના ઉદ્ભવી રહેલા ‘બીજા પીક’ને નાથવા માટે...
એટલાન્ટા-વિસ્તારના ત્રણ મસાજ પાર્લરો પર લગભગ એક કલાક સુધી ગોળીબારની ત્રણ ઘટનાઓમાં આઠ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે અને આશંકા વ્યક્ત...
ઇંગેલેન્ડ સામે હાલમાં રમાઇ રહેલી ટી-20 સીરિઝની બે મેચમાં ઉપરાછાપરી બે અર્ધસદી ફટકારવાના કારણે ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી બેટ્સમેનોના આઇસીસી ટી-20...
ભારતીય મહિલા વન ડે ટીમની કેપ્ટન મિતાલી રાજ અને તેની ડેપ્યુટી હરમનપ્રીત કૌરે આજે અહીં રમાયેલી દક્ષિણ આફ્રિકન મહિલા ટીમ સામેની પાંચમી...
કોરોનામાં અપાયેલી છૂટછાટ અને ચૂંટણી પ્રચારમાં બેફામ બનેલા રાજકારણીઓને કારણે સુરતમાં કોરોનાના કેસોમાં શરૂ થયેલો વધારો હવે ઓલટાઈમ હાઈ સુધી પહોંચી ગયો...
પશ્ચિમ બંગાળમાં સ્થાનિક અખબારોએ રાષ્ટ્રીય સ્તરના ભાજપના નેતાઓની ચૂંટણી સભામાં ખાલી ખુરશીઓની તસવીરો છાપી હતી જે ચર્ચાનો વિષય બન્યો છે કે શું...
અંકલેશ્વર: (Ankleshwar) ગુજરાતના ઔદ્યોગિક હબ તરીકે ગણાતા ભરૂચ (Bharuch) જિલ્લામાં છેલ્લા ૧૪ માસમાં ૨૪ જેટલી ઔદ્યોગિક અકસ્માતની ઘટનાઓ સર્જાઇ છે, જેમાં ૪૨...
સુરતઃ (Surat) શહેરના અલથાણ બમરોલી રોડ પર આવેલા કેશવ પાર્ટી પ્લોટ ઉપર ગઈકાલે રાત્રે ખટોદરા પોલીસે (Police) પેટ્રોલીંગ દરમિયાન દારૂની (Alcohol) મહેફિલ...
ગાંધીનગર. દેશના વિવિધ રાજયોમાં કોરોનાના કેસો વધી જતાં પીએમ નરેન્દ્ર મોદીએ (PM Modi) યોજેલી વીડિયો કોન્ફરન્સમાં ગાંધીનગરથી વિજય રૂપાણી (Vijay Rupani) અને...
માધુરી દીક્ષિત ( MADHURI DIXIT) નો દીકરો અરિન ( ARIN) નેને 17 માર્ચે 18 વર્ષનો થઈ ગયો છે. તરુણાવસ્થાના આ દરવાજા પર...
સુરત: (Surat) કોરોનાના કેસોને (Corona Case) કન્ટ્રોલ કરવા માટે સુરતનું તંત્ર દોડતુ થયું છે. આ વચ્ચે એક મોટો નિર્ણય લેવાયો છે. જે...
સુરત: (Surat) બે દિવસ પહેલા મુંબઇથી ઇન્દોર વચ્ચે દોડતી સ્પેશિયલ દુરંતો ટ્રેનને (Duronto Train) સુરત સ્ટોપેજ (Stopage) આપવાની વાતને ફેરવી તોળવામાં આવી...
છેલ્લા એક વર્ષથી દેશમાં કોરોના વાયરસ ( CORONA VIRUS) નો કહેર સર્જાયો છે. દેશમાં કોરોના રોગચાળાએ ફરી એકવાર આ વર્ષનો રેકોર્ડ તોડ્યો...
સુરત: (Surat) ઇન્ડિગો એરલાઇન્સે (Indigo Airlines) સુરતથી ઇન્દોરના અહિલ્યાબાઇ હોલકર એરપોર્ટને જોડતી સીધી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. ઇન્દોરના (Indore) ઉદ્યોગકારોએ...
દમણ, સેલવાસ, વલસાડ: (Valsad Daman) સંઘપ્રદેશ દમણમાં મંગળવારે કોરોનાના વધુ 4, વલસાડ જિલ્લામાં 1 અને દાદરા નગર હવેલીમાં એક કેસ નોંધાયો હતો....
રાજ્યમાં (Gujarat) વધતા જતા કોરોના સંક્રમણને (Corona) ધ્યાને લઈને રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂનો સમય વધારી દીધો છે. 17 માર્ચ 2021થી ચાર મહાનગરોમાં...
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણના ડાભેલ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી પ્લાસ્ટીકની તાડપત્રી બનાવતી કંપનીમાં મળસ્કે આગ (Fire) ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ...
સુરત: (Surat) સુરત રેલવે સ્ટેશનથી (Railway Station) પસાર થતી છ જેટલી દુરંતો ટ્રેનના સ્ટોપેજ માટે સુરતના વારંવાર રજુઆત કરવાં છતાં કોઇ પણ...
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ચાર મહાનગરોમાં નાઇટ કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે વડોદરા, અમદાવાદ, સુરત અને...
સુરત: (Surat) કાપડ વેપારીઓ અને વિવર્સ વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા વિવાદને લઇ સોમવારે કાપડ માર્કેટના (Textile Market) તમામ વેપારી સંગઠનોની...
તમે સમાચારો સાંભળ્યા જ હશે કે કોઈ શહેર અથવા કોલોનીમાં દરેકની પોતાની કાર હોય છે, પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે...
રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં એક શખ્સેને પત્નીએ ફક્ત કાળા રંગના હોવાને કારણે છોડી દીધો હતી. પતિએ આરોપ લગાવ્યો છે કે તેની પત્ની કહે...
સુરત: (Surat) કયારેય નહી જોયેલી મહામારી કોરોનાને એક વર્ષ પુરૂં થવા આડે હવે માત્ર બે દિવસ બાકી છે, ત્યારે ફરી એકવાર કોરોનાના...
કાનમાં કીડી ભરાય ગઈ હોય એમ ખાલી ખિસ્સાએ લુખ્ખી તલવારબાજી કરવા નીકળ્યો છું. જેના ખિસ્સા જ કડકાબાલુસ હોય, એ ખિસ્સામાંથી, શું કબુતર...
બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ આવી વિવાદમાં, પાંચ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ
ઇન્ડિગો ફ્લાઇટ્સ પાટા પર આવી: 1,800 થી વધુ ફ્લાઇટ્સ ફરીથી કાર્યરત, બેગ ડિલિવરી ઝડપી
શેરબજાર કેમ તૂટી રહ્યું છે?, બે દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યું, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
PM મોદી: બિનજરૂરી પેપરવર્કનો અંત આવવો જોઈએ, નિયમો જીવનને સરળ બનાવવા માટે છે
અસીમ મુનીરની ધમકી: ભારતે કોઈ ગેરસમજમાં ન રહેવું જોઈએ, જો હવે હુમલો થશે તો..
ઈન્ડોનેશિયાના જકાર્તામાં 7 માળની ઓફિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, 20થી વધુના મોત
લોકસભામાં SIR પર ચર્ચા: અખિલેશ યાદવે કહ્યું- SIR ના બહાને NRC લાગુ કરવામાં આવી રહ્યું છે
મેન્ટેનન્સના કારણે ફતેગંજ બ્રિજ 30 દિવસ માટે બંધ કરાયો : ટ્રાફિકની સમસ્યા ઉદભવી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર બૂટ ફેંકનાર વકીલને બીજા વકીલોએ ભેગા થઈ માર માર્યો
વડોદરાની ‘એક્યુટેસ્ટ’ લેબોરેટરીમાં આરોગ્ય વિભાગના ધામા, દવા પરીક્ષણના નામે લોકોને પ્રતિબંધિત ડ્રગ્સ આપ્યાની આશંકા
રાજ્યસભામાં ખડગેએ કહ્યું- વડાપ્રધાન અને ગૃહમંત્રી ફક્ત નેહરુને જ કેમ નિશાન બનાવે છે?
આરટીઓ દ્વારા ગોલ્ડ અને સીલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ પર CBIનો શિકંજો, ₹228 કરોડની છેતરપિંડીનો કેસ નોંધ્યો
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
ઇન્ડિગોની ફ્લાઇટ્સ ઘટાડી અન્ય એરલાઇન્સને સ્લોટ અપાશે, 10 મુખ્ય એરપોર્ટ પર IAS ઓફિસર પહોંચ્યા
ઓલપાડમાં કોટન બેગ વેન્ડિંગ મશીનની ખરીદીમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ
કુબેર ભવન પાછળ આરોગ્ય વિભાગનું ‘ઑપરેશન કલીન’: નાસ્તાની લારીઓમાંથી જૂનું-વાસી તેલ ઝડપાયું!
કોર્પોરેશનની કડક બજારમાં કડક કાર્યવાહી : 8 ઓટલા તોડાયા, 3 ટ્રક માલ જપ્ત
પોલીસનો કોઈ ધાક જ નથી, ડિંડોલીમાં યુવક પર સરાજાહેર ઘાતકી હુમલો
વડોદરા કોલ સેન્ટર કૌભાંડ: આશરે ₹6.90 કરોડ રૂપિયાની ઠગાઈમાં 5 આરોપીના જામીન નામંજૂર!
ખોટા સોનાની આડમાં ₹13.53 લાખની છેતરપિંડી: બેન્કનો જ વેલ્યૂઅર ગુનેગાર!
ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે ચણાયેલી દિવાલનું આખરે ડિમોલિશન
વંદેમાતરમ્ પર રાજ્યસભામાં અમિત શાહનું ભાષણ, નહેરુ-ઈન્દિરા પર કર્યા આકરા પ્રહાર
5.08 કરોડ ફોર્મ પૈકી 74 લાખથી વધુ ફોર્મ અનકલેકટેડ ફોર્મના વેરિફિકેશન માટે બેઠકોની શૃંખલા
રાજ્યને વૈશ્વિક દરિયાઈ હબ તરીકે વિકસિત કરશે
કોને આગળ લઈ જઈ જવા અને કોને… એ બધુ અમિત શાહને ફાવે: આનંદીબેન
દ્વારકામાં આખલાઓના ત્રાસનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો
અમદાવાદમાં રિક્ષાવાળા પાસે દર મહિને 1000નો હપ્તો વસૂલાય છે
3 મહિનામાં 2500 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ
GANDHINAGAR : દેશના વિવિધ રાજયોમાં કોરોનાના ( CORONA) કેસો વધી જતાં પીએમ નરેન્દ્ર મોદી ( PM NARENDRA MODI ) એ યોજેલી વીડિયો કોન્ફરન્સમાં આજે ગાંધીનગરથી વિજય રૂપાણી ( VIJAY RUPANI) અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ( NITIN PATEL) પણ જોડાયા હતા. રૂપાણીએ માસ્ક પહેરવા સહિતના પગલા કડકાઈથી લેવાશે તેમ જણાવ્યું હતું.વડાપ્રધાન મોદીએ દેશના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સંબંધિત રાજ્યોમાં કોરોના સંક્રમણની પરિસ્થિતી અને રાજ્ય સરકારો દ્વારા તે સંદર્ભમાં હાથ ધરાઇ રહેલા ઉપાયોની સર્વગ્રાહી સમીક્ષા વિડીયો કોન્ફરન્સથી હાથ ધરી હતી. મુખ્યમંત્રી રૂપાણી-નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન સહિતના વરિષ્ઠ સચિવો સાથે આ બેઠકમાં ગાંધીનગરથી જોડાયા હતા.

મુખ્યમંત્રીએ ગુજરાતમાં કોરોનાના હાલના વધતા કેસો સામે આરોગ્યલક્ષી પગલાંઓની વિસ્તૃત જાણકારી વડા પ્રધાન મોદીને આપી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણ નિયંત્રણ સામે જે મંત્ર ‘દવાઇ ભી ઔર કડાઇ ભી’ આપ્યો છે તેનો ગુજરાતમાં સુચારૂ અમલ કરીને ગુજરાત કોરોનાના વધતા કેસો સામે પણ અડગ રીતે ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય તેની તકેદારી રાખશે તેવો વિશ્વાસ રૂપાણીએ વડાપ્રધાનને આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં જે જિલ્લાઓ અને કોર્પોરેશન વિસ્તારોમાં કોવિડ કેસોની સંખ્યા વધી છે ત્યાં ધન્વંતરી રથ અને સર્વેલન્સ વધુ ઝડપથી કાર્યરત કરાયા છે. સમગ્ર રાજ્યમાં ૭૭પ ધનવંતરી રથ સેવારત છે. આ ઉપરાંત સમગ્ર રાજયમાં સમગ્ર રાજ્યમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને ફરજિયાત માસ્કના નિયમોનું કડકાઇથી પાલન કરાવીયે છીયે. એટલું જ નહિ, આ નિયમોનું પાલન નહીં કરનારા વ્યક્તિઓ પાસેથી દંડ પણ વસૂલવામાં આવે છે.
તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના કેસોની સંખ્યા વધતાં કન્ટેનમેન્ટ ઝોન પણ વધારીને ત્યાં સર્વેલન્સ સઘન કર્યુ છે. આવા, ૩૧૪૬ કન્ટેનમેન્ટ ઝોન રાજ્યભરમાં છે અને ૪૦૦૦થી વધુ મેડિકલ ટીમની મદદથી સર્વેલન્સ હાથ ધરાઇ રહ્યું છે.

વડાપ્રધાનને ગુજરાતમાં કોવિડ-19 વેકસીનેશનની વ્યાપક કામગીરીથી અવગત કરાવતાં રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાત વેક્સિનેશમાં દેશમાં અગ્રીમ હરોળમાં છે. અત્યાર સુધીમાં રર.15 લાખ વ્યક્તિઓને કોવિડ-19 વેક્સિનનો પહેલો ડોઝ અને પ.૪ર લાખને બીજો ડોઝ પણ અપાઇ ગયો છે. રાજ્યમાં હાલ રોજના સરેરાશ ૧.પ૦ લાખ લોકોનું વેકસીનેશન કરાય છે તે વધારીને સરેરાશ દરરોજ ૩ લાખ કરવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
રૂપાણીએ આ વીડિયો કોન્ફરન્સમાં એમ પણ જણાવ્યું હતું કે, રાજ્યના ચાર મહાનગરોમાં તા.૩૧ માર્ચ સુધી રાત્રિના ૧૦થી સવારના ૬ સુધી કર્ફયુનો અમલ કરાવાઇ રહ્યો છે. સાથોસાથ રેલ્વે સ્ટેશન, એર પોર્ટ અને રાજ્યની સરહદો સાથે જોડાયેલા માર્ગો દ્વારા ગુજરાત આવતા યાત્રિકો-વ્યક્તિઓનું સ્કિનિંગ પણ કરવામાં આવે છે અને લક્ષણો ધરાવતા લોકોના રેપીડ ટેસ્ટ કરીને તાત્કાલિક જરૂરી ઇલાજની સુવિધા આપીએ છીએ.
…………….