Top News

More Posts

   The Latest

Most Popular

નરસિંહભાઈ પટેલ સમાજનું ઘરેણું હતું. 102 વર્ષની જૈફ વય ન્યુઝીલેન્ડમાં નિધન થયું. આ દુ:ખદ સમાચાર સાંભળી સમાજ ઊંડા શોકની લાગણીમાં ડૂબી ગયો. એમના જેવું પ્રતિભાસંપન્ન વ્યકિતત્વ સમાજને ફરી ક્યારે મળશે ! તેઓ ગાંધી વિચારથી રંગાયેલા હતા અને ગાંધી વિચારને જીવનમાં ઉતાર્યા હતા. તેઓ સમાજપ્રેમી – શિક્ષણપ્રેમી હતા. સમાજ માટે કંઈક કરી છુટવાની ભાવના તેમનામાં હતી. તેઓ હસમુખા અને સ્કૂર્તિલા હતાં. એમનું જીવન સાદાઈથી ભરેલું અને નિયમ બધ્ધ હતું. તેઓ સ્વતંત્ર સેનાની હતા. તેમને બેસ્ટ ટિચરના એવોર્ડો પાછા મળ્યો હતો. સામાન્ય કુટુંબમાં જન્મી સ્વપુરુષાથર્થી તેઓ સાચા માનવ બન્યા હતા. તેમની ખોટ સાલસે. તેમને સાદર શ્રધ્ધાંજલિ.
વિજલપોર   – ડાહ્યાભાઈ હરિભાઈ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top