યુક્રેન: આજે યુક્રેન સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે, પરંતુ આ દિવસે રશિયા યુક્રેન પર મોટો હુમલો કરી શકે છે. પ્રેસિડેન્ટ ઝેલેન્સકીએ...
વડોદરા : વડોદરામાં ચોમાસાની સાથે સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ દસ્તક દીધી હતી.હાલ તેના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે.જેને લઈ હાલ...
વડોદરા : વડોદરામાં અકોટા વિસ્તારમાં ચોરી કરનાર બે ચોરોને મકાનમાં પાવર આવી જતા 20 દિવસમાં બે વાર ચોરી કરી હતી પરંતુ ગઈકાલે...
વડોદરા : વડોદરા શહેર નજીક આવેલા ચાપડ ગામમાં રહેતા 21 વર્ષના યુવકએ દેશી દારૂની ચાર પોટલી એક સાથે ગટગટાવી જતા આંખ ગુમાવવાનો...
વડોદરા : વડોદરા શહેરમાં દાંડિયા બજાર ખાતે જર્જરિત ફાયર સ્ટેશન તોડી પાડ્યા બાદ છેલ્લા ઘણા સમયથી રસ્તા ઉપર બેસી શહેરની રક્ષા કરતા...
વડોદરા: નર્મદાની સાથે હવે લોકમાતા મહીસાગર પણ ઉફાન પર છે.ત્યારે વડોદરા જિલ્લા કલેકટરેએ તંત્રને મહી કાંઠાના તમામ ગામો અને ગામો લોકોને સાવધ...
વડોદરા: વડોદરા શહેરમાં અવારનવાર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાવાની ઘટના સામે આવે છે ત્યારે સોમવારે કોર્પોરેશનની કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરના ગેટ પાસે...
વડોદરા: શહેર વિસ્તારમાં આવેલું જુના સમયનું રામનાથ સ્મશાન ગૃહ કે જ્યાં વર્ષોથી ગેસ ચિતા બંધ હાલતમાં છે, અને અવારનવાર ગેસ ચિતા ચાલુ...
વડોદરા: વડોદરા નજીક મોકસીની નેક્ટર કેમ કંપનીમાંથી 1125 કરોડનું MD ડ્રગ્સ કબજે કરવાના બનાવમાં ઝડપાયેલા આરોપી પિયુષ પટેલ અને મહેશ વૈષ્ણવને સાથે...
નડિયાદ: નડિયાદ નગરપાલિકા દ્વારા ગયા વર્ષે જ્યાં સાડા ચારસો જેટલા જર્જરીત એકમોને ઉતારી લેવા નોટીસ અપાઈ હતી, ત્યાં આ વર્ષે કુલ 140...
સંતરામપુર : આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં મહિ નદી કાંઠે આવેલા ગામોમાં પુરની સંભવિત સ્થિતિને પહોંચી વળવા એલર્ટ જારી કરવામાં આવ્યું છે....
આણંદ : વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણનો 5243મો જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મટકીફોડ અને રાસની રમઝટ બોલાવવામાં આવી...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીના (Election) એંધાણ વચ્ચે તમામ રાજકીય પાર્ટી સક્રિય બની છે. આ વર્ષે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ...
નડિયાદ: આણંદથી કપડવંજ તરફ જવાનો શોર્ટકટ પણસોરાથી લાડવેલ ચોકડી તરફનો માર્ગ અત્યંત જર્જરીત બન્યો છે. આ રોજ નાના-મોટા વાહનોની અવરજવરથી ધમધમતો રહે...
સુરત(Surat) : સુરત શહેરમાં રોમિયો અને ગુંડાઓની દિનપ્રતિદિન હિંમત વધી રહી હોવાનું લાગી રહ્યું છે. જાહેર માર્ગો પર, ફોન કે સોશિયલ મીડિયાના...
પર્યુષણ એટલે મનનું પ્રદૂષણ દૂર કરનાર પર્વ. મનની અંદર ચાલતાં રાગ, દ્વેષ, કામ, કષાયને જીતવાનો સંદેશ આપે તે પર્યુષણનું પર્વ. જીતે તે...
ગુજરાતના વાચનઋષિ મહેન્દ્ર મેઘાણીએ પોતાના જીવનની સદી તા. 20/6/22 પૂરી કરી અને તા. 03/08/22 ના રોજ ચિરનિદ્રામાં પોઢી ગયા. તેઓ માનતા કે...
ભારત દેશ સ્વતંત્ર થયાને પંચોતેર વર્ષ પૂરાં કર્યાં. આનંદ થાય એ સ્વાભાવિક છે. દેશને આઝાદી અપાવવા જેમણે બલિદાન આપ્યું છે, જેલવાસ ભોગવ્યો...
અંધશ્રદ્ધાથી ક્યારે મુક્તિ મળશે એ ચિંતા અને ચિંતનનો વિષય છે. નિર્મલ બાબા અને રાધે મા તો છે જ. ૨૦૧૮ થી આઈટી હબ...
એક દિવસ એક નેશનલ લેવલ પર ભાગ લેતો દોડવીર પ્રેક્ટીસ દરમ્યાન દોડતાં દોડતાં પડી ગયો અને તેને પગમાં ફ્રેકચર આવ્યું.તે નાસીપાસ થઇ...
કોલકાતાની નેશનલ લાયબ્રેરી રાષ્ટ્રીય પુસ્તકાલય કેમ્પસમાં ઐતિહાસિક બેલ્વેડેર હાઉસમાં ભાષાઓ, સ્ક્રિપ્ટો અને શબ્દોને સમર્પિત દેશનું પ્રથમ આ પ્રકારનું મ્યુઝિયમ આકાર લઈ રહ્યું...
આપણે સૌ ડોલો-650 નામની દવાથી પરિચિત છીએ. તાવ અને પીડા ઘટાડવા માટે તે લેવાની ભલામણ થઇ હતી, પણ આ દવા તેના ઉત્પાદકની...
માલદીવ(Maldives): માલદીવ(Maldives)ના મંત્રી(Minister) અલી સોલિહ(Ali Solih) પર રાજધાની માલે(Male)માં હુમલો(Attack) થયો છે. એક વ્યક્તિએ તેના ગળા પર બ્લેડ વડે હુમલો કર્યો હતો....
નિયતિ તમને કયાં લઈ જશે તેની તમને કયારેય કલ્પના હોતી નથી. મોટા ભાગના કિસ્સામાં આપણી કલ્પના બહારની ઘટનાઓ જ ઘટતી હોય છે....
ઘણીવાર ભૂલ થાય છે ત્યારે શું થાય છે? ટોણા મારવામાં આવે છે અને જો શક્ય હોય તો આવી ભૂલની સજા પણ આપવામાં...
પ્રશ્ન: મારી ઉંમર આશરે 37 વર્ષની છે. હું જ્યારે 28 વર્ષનો હતો ત્યારે સૌ પ્રથમ વાર મને ડાયાબિટીસનું નિદાન કરવામાં આવેલ. શરૂઆતમાં...
હાલમાં એવા અહેવાલ આવ્યા છે કે એક મધ્ય એેશિયન દેશના વતની એવા ઇસ્લામિક સ્ટેટના એક ત્રાસવાદીની રશિયાએ અટકાયત કરી છે જે ત્રાસવાદી...
બિહાર: કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ બિહારમાં (Bihar) 24 સ્થળો પર દરોડા (Raid) પાડ્યા છે. સીબીઆઈએ નોકરીના બદલામાં જમીન કૌંભાજ મામલે આ કાર્યવાહી...
ડૉક્ટરના જીવનમાં દરરોજ હર ઘડીએ ઘણી ઘટનાઓ ઓપ લેતી હોય છે. ક્યારેક સારા પ્રતિભાવ મળે તો ક્યારેક દર્દીને છેલ્લા શ્વાસ લેતા જોઈ...
જીવન વીમો લેનારને જીવન વીમો લેતા અગાઉથી જ 20 વર્ષથી હાઇપરટેન્શન અને 3 વર્ષથી ડાયાબિટીસ હોવાનું અને તે હકીકત છુપાવીને જીવનવીમો લીધો...
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
યુક્રેન: આજે યુક્રેન સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે, પરંતુ આ દિવસે રશિયા યુક્રેન પર મોટો હુમલો કરી શકે છે. પ્રેસિડેન્ટ ઝેલેન્સકીએ એવી આશંકા વ્યક્ત કરી છે. ચાર દિવસ પહેલા ઝેલેન્સકીએ તેમના દેશના લોકોને ચેતવણી આપી હતી કે – ‘આ અઠવાડિયે રશિયા કંઈક ખૂબ જ ખરાબ કરવાનો પ્રયાસ કરી શકે છે, ખાસ કરીને કંઈક ઝેરી.’ તે જ સમયે, યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવના ગવર્નરે તેના નાગરિકોને ચેતવણી જારી કરતા કહ્યું – ‘ઘરે રહો અને ચેતવણીનું ધ્યાન રાખો’. રશિયન ગોળીબારને જોતા ખાર્કિવમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.
આ અહેવાલોના આધારે હુમલાની શક્યતા
યુક્રેનિયન એનજીઓનાં અહેવાલ અનુસાર – ‘રશિયા યુક્રેનિયન સરહદની નજીક મિસાઇલો તૈનાત કરવામાં અને શસ્ત્રો એકત્રિત કરવામાં વ્યસ્ત છે. યુક્રેન પર S-300 મિસાઇલો સાથે સામૂહિક ગોળીબારનો સ્પષ્ટ ખતરો છે. 20 ઓગસ્ટ પહેલા રશિયાની ઘણી ટ્રેનો યુક્રેનિયન બોર્ડર પર પહોંચી ગઈ છે. તે સ્પષ્ટ છે કે રશિયા 24 ઓગસ્ટે યુક્રેન પર મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. યુએસ ઈન્ટેલિજન્સ એજન્સીઓના રિપોર્ટ પ્રમાણે- તેઓની પાસે માહિતી છે કે રશિયા આગામી દિવસોમાં યુક્રેનના નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સરકારી ઈમારતો પર હુમલા કરવાના પ્રયાસો વધારી રહ્યું છે. યુક્રેનમાં રશિયાના ટ્રેક રેકોર્ડને જોતાં, અમે રશિયન હુમલાના પરિણામે નાગરિકો અને નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જોખમ વિશે ચિંતિત છીએ.
રાષ્ટ્રપતિની લોકોને અપીલ
આ અહેવાલોના આધારે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી અને ખાર્કિવ શહેરના ગવર્નરે તેમના દેશના લોકોને સતર્ક રહેવાની ચેતવણી આપી છે. વોલોદિમિર ઝેલેન્સકીએ લોકો સલાહ આપી છે કે તેઓ સ્વતંત્રતા દિવસના અવસર પર કાર્યક્રમોનું આયોજન ન કરે. જ્યારે અમેરિકી સરકારે યુક્રેનમાં રહેતા અમેરિકનોને પણ ચેતવણી આપી છે અને તેમને તાત્કાલિક દેશ છોડી દેવાની વિનંતી કરી છે.
પરમાણુ હુમલાનો ભય
યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે પરમાણુ જોખમ વિશે ચેતવણી આપી હતી, ખાસ કરીને કારણ કે રશિયાએ યુદ્ધની શરૂઆતમાં તેના મોટા પરમાણુ શસ્ત્રાગાર તરફ ધ્યાન દોર્યું હતું. દક્ષિણ-પૂર્વ યુક્રેનમાં સ્થિત ઝાપોરિઝ્ઝ્યામાં યુરોપનો સૌથી મોટો પરમાણુ પાવર પ્લાન્ટ જોખમમાં છે.
આજે યુક્રેન સોવિયેત રશિયાથી આઝાદ થયું હતું
વાસ્તવમાં 24 ઓગસ્ટ 1991ના રોજ એટલે કે 30 વર્ષ પહેલા યુક્રેને સોવિયત રશિયાથી આઝાદીની જાહેરાત કરી હતી. આઝાદ થતાંની સાથે જ યુક્રેને રશિયન પ્રભાવથી છૂટકારો મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો અને આ માટે તેણે પશ્ચિમી દેશો સાથેની નિકટતા વધારી. 2010 માં, રશિયા સમર્થિત વિક્ટર યાનુકોવિચ યુક્રેનના રાષ્ટ્રપતિ બન્યા. યાનુકોવિચે રશિયા સાથે ગાઢ સંબંધો બનાવ્યા અને યુરોપિયન યુનિયનમાં જોડાવાના યુક્રેનના નિર્ણયને નકારી કાઢ્યો. જેનો યુક્રેનમાં જોરદાર વિરોધ થયો હતો. આ કારણોસર વિક્ટર યાનુકોવિચને 2014માં પદ છોડવું પડ્યું હતું.
ડિસેમ્બર 2021માં નાટોમાં જોડાવાની જાહેરાત કરી
જે બાદ 2014માં યુક્રેનના રાષ્ટ્રપતિ બનેલા પેટ્રો પોરોશેન્કોએ યુરોપિયન યુનિયન સાથે ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. વિરોધમાં, 2014 માં, રશિયાએ યુક્રેનિયન શહેર ક્રિમિયા પર આક્રમણ કર્યું અને તેના પર કબજો કર્યો. પછી ડિસેમ્બર 2021 માં, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ નાટોમાં જોડાવાની જાહેરાત કરી, જેણે રશિયાને નારાજ કર્યું અને 24 ફેબ્રુઆરી 2022 ના રોજ યુક્રેન પર હુમલો કર્યો. તમને જણાવી દઈએ કે, યુક્રેનની રશિયા સાથે 2 હજાર કિલોમીટરથી વધુની સરહદ છે. રશિયાને ડર છે કે જો યુક્રેન નાટોમાં જોડાશે તો નાટો દળો રશિયન સરહદ સુધી પહોંચી જશે.