Gujarat

રાજ્યમાં કોરોનાના 20 પૈકી 14 દક્ષિણ ગુજરાતમાં નોંધાયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં 14 નવા કેસ સાથે કુલ 20 કેસ નોંધાવા પામ્યાં છે. જ્યારે વલસાડમાં કોરોનાથી વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે. આમ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 10,085 થયો છે. આમ વલસાડમાં છેલ્લા બે દિવસમાં બે દર્દીનાં મોત થયા છે.રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં નવસારીમાં 4, સુરત મનપામાં 4, સુરત ગ્રામ્ય, વલસાડ, અમદાવાદ મનપામાં 3-3, ખેડામાં 2, વડોદરા મનપામાં 1 નવો કેસ નોંધાયા છે.

બીજી તરફ આજે 22 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,816 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોના સાજા થવાનો દર 98.76 ટકા જેટલો છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 179 થઈ છે, જેમાંથી 04 વેન્ટિલેટર પર અને 175 દર્દીઓ સ્ટેબલ છે.

ગુરૂવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં 4,72,739 વ્યકિતઓને રસી આપવામાં આવી છે

રાજ્યમાં આજે 12 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કર પ્રથમ અને 4,242ને બીજો ડોઝ જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 40,353ને પ્રથમ ડોઝ અને 97,719ને બીજો ડોઝ 97,719, તેવી જ રીતે 18-45 વર્ષ સુધીના 1,19,984ને પ્રથમ ડોઝ અને 2,10,429 વ્યક્તિને બીજો ડોઝ મળીને આજે કુલ 4,72,739 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 6,33,28,701 વ્યકિતઓને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top