Gujarat

રાજ્યમાં 3 મનપા અને 26 જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નહીં

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19 નવા કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર, જામનગર, રાજકોટ એમ 3 મનપા અને 26 જિલ્લાઓમાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી.ગુરૂવારે નવા નોંધાયેલા કેસમાં સુરત, વડોદરા મનપામાં 3-3, અમદાવાદ મનપા, જૂનાગઢ મનપા, સુરત ગ્રામ્યમાં 2-2 જ્યારે ભાવનગર ગ્રામ્ય, ગાંધીનગર મનપા, ગીર સોમનાથ, જામનગર ગ્રામ્ય, કચ્છ, નવસારી, વડોદરા ગ્રામ્યમાં 1-1 નવો કેસ નોંધાયો છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 183 છે. તેમાંથી 06 દર્દીઓ વેન્ટિલેટર પર છે, અને 177 દર્દીઓ સ્ટેબલ છે. તો વળી, રાજ્યમાં 22 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 8,14,994 દર્દીઓ સાજા થયા છે.

15 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ અને 4,678ને બીજો ડોઝ, તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 72,692 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 52,971 વ્યક્તિને બીજો ડોઝ, જ્યારે 18-45 વર્ષ સુધીના 2,13,495 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 33,687 વ્યક્તિને બીજો ડોઝ મળી કુલ 3,77,538 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 4,19,93,402 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top