National

મનીષ સિસોદિયાને કોઈ રાહત નહીં, હજી આ તારીખ સુધી કોર્ટે ન્યાયિક કસ્ટડી વધારી

નવી દિલ્હી: દિલ્હીના (Delhi) પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની (Manish Sisodia) મુશ્કેલીઓ દિવસેને દિવસે વધતી જઈ રહી છે. રાઉઝ એવન્યુ કોર્ટે (Court) મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 17 એપ્રિલ, 2023 સુધી લંબાવી છે. મનીષ સિસોદિયા સ્ક્રેપેડ એક્સાઇઝ પોલિસીમાં કથિત અનિયમિતતા સંબંધિત કેસમાં જેલમાં છે. તમને જણાવી દઈએ કે આ પહેલા શુક્રવારે દિલ્હીની કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તપાસ કરી રહેલા એક્સાઈઝ પોલિસી કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પણ ફગાવી દીધી હતી. રાઉઝ એવન્યુ કોર્ટે હવે સિસોદિયાને 17 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.

સિસોદિયાના વકીલે આ દલીલો કરી હતી
કોર્ટની છેલ્લી સુનાવણી દરમિયાન સિસોદિયાના વકીલે રજૂઆત કરી હતી કે સીબીઆઈ દ્વારા કસ્ટડી ચાલુ રાખવાની વોરંટ આપતી કોઈ ચોક્કસ વાત કહેવામાં આવી નથી. વકીલે કહ્યું કે રિકોર્ડમાં એવું કંઈ પણ નથી કે જેનાથી એવું લાગે મનીષ સિસોદિયા સાક્ષીઓને ધમકાવી રહ્યા છે. વકીલે દલીલ કરી હતી કે સિસોદિયાએ સીબીઆઈ તપાસમાં સહકાર આપ્યો છે અને કોઈપણ સર્ચમાં તેમની વિરુદ્ધ કોઈ ગુનાહિત સામગ્રી સામે આવી નથી.

વકીલે કોર્ટને કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે મનીષ સિસોદિયાની સમાજમાં ઊંડી છાપ છે. જ્યારે પણ તેમને સીબીઆઈ સમક્ષ બોલાવવામાં આવ્યો ત્યારે તેઓ હાજર થયા છે. તેમણે કહ્યું કે હું જાહેર સેવક છું. આ મામલામાં બે જાહેર સેવકો સામે આવ્યા છે, આરોપો તેના કરતા ઘણા ગંભીર છે. પરંતુ તેની ધરપકડ કરવામાં આવી નથી. વકીલે કહ્યું કે સાક્ષી સાથે છેડછાડ અથવા સાક્ષીઓને ધાકધમકી આપવાના કોઈ પુરાવા નથી. હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને સિસોદિયાને જામીન આપો.

સિસોદિયાની 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ 26 ફેબ્રુઆરીએ સિસોદિયાની હવે રદ કરાયેલી દિલ્હી એક્સાઈઝ પોલિસી 2021-22માં કથિત ભ્રષ્ટાચારના સંદર્ભમાં પૂછપરછના ઘણા રાઉન્ડ પછી ધરપકડ કરી હતી. સીબીઆઈએ 26 ફેબ્રુઆરીએ AAP નેતાની ધરપકડ કર્યા પછી, EDએ પણ આ જ કેસમાં 9 માર્ચે તેમની ધરપકડ કરી હતી. તપાસ એજન્સીએ કોર્ટને માહિતી આપી હતી કે પૂર્વ નાયબ મુખ્યમંત્રીના ઈમેલ અને મોબાઈલમાંથી મોટી માત્રામાં ડેટાનું ફોરેન્સિકલી વિશ્લેષણ પણ કરવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top