SURAT

પાંચ જણાએ ચપ્પુના આડેધડ 7થી 8 ઘા મારી સુરતના યુવકને જાહેરમાં રહેંસી નાંખ્યો

સુરત(Surat) : ગણેશ ઉત્સવની (GaneshUtsav) ઉજવણીના ઉત્સાહ વચ્ચે સુરતમાં બુધવારે મોડી રાત્રે હત્યાનો (Murder) ચકચારી બનાવ બન્યો છે. અહીંના લિંબાયત વિસ્તારમાં એક યુવક પર પાંચ જેટલાં ઈસમોએ મોડી રાત્રે ચપ્પુથી હુમલો (Attack) કર્યો હતો. ઉપરાછાપરી સાતથી આઠ ઘા મારતા યુવક લોહીલુહાણ થઈ ગયો હતો. તાત્કાલિક તેને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત (Death) થયું છે. પોલીસે (Surat City Police) ગુનો (FIR) નોંધી તપાસ (Inquiry) હાથ ધરી છે.

  • લિંબાયતમાં મોડી રાત્રે ખૂની ખેલ
  • એરઈન્ડિયામાં નોકરી કરતા યુવકની હત્યા
  • પાંચ યુવકોનો હુમલો
  • બે દિવસ પહેલાંના ઝઘડાની અદાવતમાં માર્યો
  • યુવકે સિવિલમાં દમ તોડ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર લિંબાયતમાં રહેતા કેતન રમેશ હેડાઉ નામના યુવકની બુધવારે મોડી રાત્રે હત્યા થઈ છે. કેતનના પિતા રમેશે પોલીસને જણાવ્યા અનુસાર મોડી રાત્રે તેઓ પર કેતનના કોઈ મિત્રનો ફોન આવ્યો હતો. તે મિત્રએ કેતન પર ચપ્પુથી જીવલેણ હુમલો થયો હોવાની માહિતી આપી હતી. કેતન સિરીયસ હોવાનું પણ તેણે જ કહ્યું હતું, તેથી કેતનના પિતા રમેશ હેડાઉ તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા, જ્યાં ખબર પડી હતી કે કેતનને 108 એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યો હતો. તે લોહીલુહાણ હતો. હોસ્પિટલ પહોંચ્યાની થોડી જ મિનીટોમાં કેતનનું મોત થઈ ગયું હતું. તેના પિતાએ રડતી આંખે કહ્યું કે, મારો દીકરો એર ઈન્ડિયામાં (AirIndia) 6 મહિના પહેલાં જ નોકરીએ લાગ્યો હતો.

કેતનના પિતા રમેશ હેડાઉએ રડતા રડતાં કહ્યું કે, આવુ કોઈ માતા-પિતા સાથે થવું જોઈએ નહીં. થોડી જ ક્ષણોમાં અમારું જીવન ઉજ્જડ બની ગયું. કેતન સાથે કોને દુશ્મની હતી? અમને તો એ પણ ખબર નથી કે કેતનની હત્યા કોણે કરી છે? પાંચેક મદ્રાસી હુમલાખોરોએ કેતનને ચપ્પુના ઘા માર્યા હોવાનું લોકો કહે છે. કેતનના કાન, ગરદન અને હાથ પર ઘા હતા. સરકાર અને પોલીસ અમને ઝડપી ન્યાય અપાવે તેટલી જ અમારી માંગ છે.

શું બની ઘટના?
ગોડાદરા શિવશક્તિ રેસિડેન્સીમાં રહેતા કમલેશ રમેશ હેડાઉનો ચાર દિવસ પહેલાં રાકેશ અન્ના નામના ઈસમ સાથે ઝઘડો થયો હતો. કમલેશને ત્યારે ખૂબ માર્યો હતો. કમલેશના મિત્રએ તેના ભાઈ કેતનને ફોન કરીને જાણ કરતા તે દોડી ગયો હતો અને છૂટ્ટા હાથે માર માર્યો હતો. ત્યારે રાકેશ અન્નાએ હત્યાની ધમકી આપી હતી. દરમિયાન બુધવારે રાત્રે 8.30 કલાકે કેતન લિંબાયતના બજરંગ નગર પાસે એકલો જઈ રહ્યો હતો ત્યારે તકનો લાભ લઈ રાકેશ અન્ના, વિનોદ ઉર્ફે વિકી, સાંઈ ગણેશ ઉર્ફે છોટા પપ્પુ તથા શ્રીકાંતએ ભેગા મળીને કેતનને આંતરી ચપ્પુના ઘા ઝીંકી લોહીલુહાણ કરી દીધો હતો. કેતન એરઈન્ડિયામાં ગ્રાઉન્ડ્સ મેન તરીકે નોકરી કરતો હતો.

Most Popular

To Top