Gujarat

ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસ મહામારી જાહેર

એક તરફ રાજ્ય સરકારે આજે રાત્રે મહત્વનો નિર્ણય લઈને મ્યુકરમાઈકોસિસ મહામારી હોવાનું જાહેર કર્યુ છે ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયમાં મ્યુકરમાઈકોસિસના ૧૧૦૦થી વધુ કેસો નોંધાયા છે. તેની સારવાર માટે રાજ્ય સરકારે ૩ કરોડથી વધુ કિમતના ઈન્જેકશન પણ ઓર્ડર કર્યા છે. ખાસ કરીને અમદાવાદમાં ૫૦૦, રાજકોટમાં ૪૦૦, સુરતમાં ૧૦૦થી વધુ અને વડોદરામાં ૨૦૦થી વધુ કેસો નોંધાયા છે. ચાર મહાનગરોમાં આ રોગના દર્દીઓની સારવાર માટે અલગ વોર્ડ પણ તૈયાર કરીને રોજના ચારથી પાંચ ઓપરેશન પણ શરૂ કરી દેવાયા છે.

Most Popular

To Top