World

પુતીન સામે બળવો કરનાર વેગનરના નેતા પ્રિગોઝિનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયાની રશિયાએ કરી પુષ્ટિ

મોસ્કો: (Moscow) રશિયાની (Russia) તપાસ સમિતિએ રવિવારે જણાવ્યું હતું કે તેણે પુષ્ટિ કરી છે કે, રશિયાના સૈન્ય સામે ટૂંકા ગાળા માટે સશસ્ત્ર બળવો કરનાર ભાડૂતી દળ વેગનરના સ્થાપક અને વડા યેવજેની પ્રિગોઝિનનું વિમાન દુર્ઘટનામાં (Plane Crash) મૃત્યુ થયું હતું. સમિતિના પ્રવક્તા સ્વેત્લાના પેટ્રેન્કોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ફોરેન્સિક અને આનુવંશિક પરીક્ષણમાં બુધવારના દુર્ઘટના સ્થળેથી પ્રાપ્ત થયેલા તમામ 10 મૃતદેહોની ઓળખ કરવામાં આવી હતી અને તારણો વિમાનના મેનિફેસ્ટને અનુરૂપ હતા. નિવેદનમાં ક્રેશનું કારણ શું હોઈ શકે તે અંગે કોઈ વિગતો આપવામાં આવી નથી.

  • વેગનરના નેતા પ્રિગોઝિનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયાની રશિયાએ પુષ્ટિ કરી, પ્લેન ક્રેશનું કારણ ન અપાયું
  • ફોરેન્સિક અને આનુવંશિક પરીક્ષણમાં બુધવારના દુર્ઘટના સ્થળેથી પ્રાપ્ત થયેલા તમામ 10 મૃતદેહોની ઓળખ કરવામાં આવી હોવાની રશિયાની જાહેરાત
  • યુએસ ઇન્ટેલિજન્સે કહ્યું હતું કે, ઇરાદાપૂર્વક વિસ્ફોટને કારણે વિમાન તૂટી પડ્યું હતું, જોકે, ક્રેમલિને તેમને ‘સંપૂર્ણ જૂઠાણું’ તરીકે નકારી કાઢ્યું

રશિયાના નાગરિક ઉડ્ડયન અધિકારીએ આ સપ્તાહની શરૂઆતમાં જણાવ્યું હતું કે, 62 વર્ષીય પ્રિગોઝિન અને તેના કેટલાક ટોચના લેફ્ટનન્ટ વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂ સભ્યોની યાદીમાં હતા. પ્રિગોઝિનના વતન મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગ વચ્ચે પ્લેન અડધા રસ્તે આકાશમાં તૂટી પડ્યું ત્યારે તેમાં સવાર તમામ સાત મુસાફરો અને ત્રણ ક્રૂ મૃત્યુ પામ્યા હતા.

બે મહિના પહેલા જ પ્રિગોઝિને રશિયાના સૈન્ય સામે એક દિવસનો બળવો કર્યો હતો. જેમાં યુક્રેનથી મોસ્કો તરફ તેના ભાડૂતી સૈનિકોનું નેતૃત્વ કર્યું હતું. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને આ કૃત્યને રાજદ્રોહ તરીકે વખોડ્યું હતું અને તેમાં સામેલ લોકોને સજા આપવાની પ્રતિજ્ઞા લીધી હતી.

તેના બદલે ક્રેમલિને સશસ્ત્ર બળવાને સમાપ્ત કરવા માટે પ્રિગોઝિન સાથે ઝડપથી સમાધાન કર્યું અને કહ્યું કે તેને કોઈપણ આરોપોનો સામનો કર્યા વિના મુક્તપણે ચાલવાની અને બેલારુસમાં ફરીથી વસવાટ કરવાની મંજૂરી આપવામાં આવશે.
જોકે, પ્રિગોઝિને આખરે સંક્ષિપ્ત બળવાનો સામનો કરવો પડ્યો જેમણે તેમના 23 વર્ષના શાસનના પુતિનની સત્તા સામે સૌથી મોટો પડકાર ઊભો કર્યો હતો.

પ્રારંભિક યુએસ ઇન્ટેલિજન્સ મૂલ્યાંકન નિષ્કર્ષ પર આવ્યું હતું કે, ઇરાદાપૂર્વક વિસ્ફોટને કારણે વિમાન તૂટી પડ્યું હતું. જેમ-જેમ શંકા વધી કે રશિયન પ્રમુખ હત્યાના આર્કિટેક્ટ હતા. જોકે, ક્રેમલિને તેમને ‘સંપૂર્ણ જૂઠાણું’ તરીકે નકારી કાઢ્યું હતું.
પ્રિગોઝિનના સેકન્ડ-ઇન-કમાન્ડ દિમિત્રી ઉટકિન તેમ જ વેગનર લોજિસ્ટિક્સ માસ્ટરમાઇન્ડ વેલેરી ચેકોલોવ પણ આ અકસ્માતમાં માર્યા ગયા હતા.

Most Popular

To Top