SURAT

“પૈસા નિકાલ નહિં તો માર દેતા હું” કહી માન દરવાજાના ત્રણ વેપારીઓ પર ટપોરીનો હુમલો

સુરત: પૈસા (Money) નિકાલ નહિં તો માર દેતા હું કહી માન દરવાજાના ત્રણ વેપારીઓને એક ટપોરીએ ચપ્પુના (Knife) ઘા મારી હત્યાનો (Murder) પ્રયાસ કરતા ભયનો માહોલ જોવા મળ્યો છે. એટલું જ નહીં પણ 15 દિવસ પહેલા પણ આ ટપોરીએ દુકાનમાં ઘુસી ચપ્પુની અણીએ 500 રૂપિયાની વસૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્ત ત્રણ પૈકી એક ખાનગીમાં અને બે સિવિલમાં દાખલ હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી બાજુ પોલીસના ચુસ્ત પેટ્રોલિંગ વચ્ચે વેપારીઓ પર થયેલા હુમલાને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે.

શ્યામલાલ ધનાલાલ પ્રજાપતિ (ઇજાગ્રસ્ત વેપારી)એ જણાવ્યું હતું કે તેઓ રાજસ્થાનના વતની છે. માન દરવાજા વિસ્તારમાં પદમાનગરમાં શ્રી દેવ ભૈરવ કરીયાણા સ્ટોર ચલાવી પરિવારના 5 જણાનું ગુજરાન ચલાવી રહ્યા છે. શુક્રવારની રાત્રે વિકી મરાઠી નામનો યુવક દુકાનમાં ઘુસી ગયો હતો અને પૈસા નિકાલ નહિં તો માર દેતા હું કરી ચપ્પુ બતાવાયું હતું. એટલું જ નહીં પણ પૈસા ન હોવાનું કહેતા ઉપરા ઉપરી ત્રણ વાર ચપ્પુનાં ઘા મારી દીધા હતા. ડરનાં મારે દુકાન બહાર દોડી જતા ફરી હુમલા કર્યો હતો. લોકો ની ભૂંડ વચ્ચે થયેલા હુમલા બાદ પણ કોઈ બચાવવા આવ્યું ન હતું. ત્યારબાદ તેમને તાત્કાલિક લોહી લુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ લવાયા હતા. 15 દિવસ પહેલા પણ આ ટપોરી દુકાનમાં ઘૂસીને ચપ્પુની અણીએ 500 લૂંટી ગયો હતો.

Most Popular

To Top