Vadodara

હિંદુ નામધારી મુસ્લિમ યુવાનનું લગ્નની લાલચ આપી દુષ્કર્મ

વડોદરા: ફેસબુક પર હિન્દુ યુવાનની ઓળખ કરીને મુસ્લિમ યુવાને બે સંતાનની માતાને લગ્નની લાલચ આપીને અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો. પરિણીતાને તેના પતિથી વિખૂટી પાડીને કટ્ટરવાદીએ િહંન્દુ ધર્મનો ત્યાગ કરીને મુસ્લિમ ધર્મ અંગિકાર કરાવવા ઢોર માર સુધ્ધા માર્યો હતો. લવજેહાદ જેવા ગુનામાં સંડોવાયેલા કટ્ટરવાદીને તેની માતા અને ફોઈએ મદદગારી કર્યા ફરિયાદ સિટી પોલીસ મથકે નોંધાઈ હતી.

 વારસિયા વિસ્તારમાં રહેતી 38 વર્ષીય બે સંતાનની માતાનો પતિ દુબઈમાં વ્યવસાય કરે છે. પરિણીતાે 2020માં ફેસબુક દ્વારા અનિલ પરમારે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને વાતચિત કરી હતી. પરિણીતાએ અનિલ પરમાર નામધારી ઈસમને રૂબરૂ મળીને ઓળખપત્ર માંગતા મોહમદ એઝાઝ ઈકબાલ શેખ (રહેવાસી :- 1589-એ, ફલેટનંબર:-201, અલકબિર કોમ્પલેકસ અબાલતપુરા, સુરત) નામનું આપતા પરણિતા ચોંકી ઉઠી હતી. યેનકેન પ્રકારે પરિણીતાને પટાવી ફોસલાવીને હું ભલે મુસલમાન છું પણ હું ધર્મ બદલીને હિંદુ બની તારી સાથે લગ્ન કરશની લાલચ આપી હતી. પરિણીતા સાથેના પ્રેમસંબંધ અંગે તેના પતિને કટ્ટરવાદીએ તમામ જાણ કરી દેતા સંસાર તૂટી ગયો હતો.

જે બાબતે એઝાઝે જણાવેલ કે, આપણે લગ્ન કરવાના હોવાથી તારો સંસાર તોડવો જરૂરી છે. પતિથી વિખૂટી પડી ગયેલી પરિણીતા નાસિપાસ થઈ જતાં કટ્ટરવાદીએ જાળ પાથરીને ું હું એસઆરપીમાં નોકરી કરું છું.  સુરત પોતાના ઘરે પ્રેમિકાને લઈ જતા એઝાઝની માતા અને ફોઈએ અલગ રૂમની સગવડ આપી હતી. જયાં નરાધમે પરિણીતા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. વારંવાર સુરત જતી પરિણીતાના પ્રેમીએ પોત પ્રકાશતા જ ધર્મ વિરૂધ્ધનું વર્તન કરવા બુરખો પહેરવા અને કુરાન પઢવાની શરત મૂકી હતી. પરિણીતા પ્રેમીના તાબે ના થતાં ત્રિપૂટીએ ગુપ્ત ભાગે લાતો મારીને જણાવેલ કે, મારે 6 હિન્દુ યવતીને ફસાવી છે અને સંબંધ છે. પરિણીતાને એઝાઝની માતા તથા ફોઈએ ગડદાપાટુનો માર માર્યો હતો અને અંગત પળોનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપતા કટ્ટરવાદીના કરતૂતોથી ત્રાહિમામ પોકારી ગયેલી પરિણીતાએ સિટી પોલીસ મથકે બળાત્કારનો      ગુનો બળાત્કારી એઝાઝ, તેની માતા અને તેની ફોઈ વિરૂધ્ધ નોંધાવ્યો હતો.

Most Popular

To Top