Dakshin Gujarat

ધાબા ઉપર નાહવા બેઠેલી વિધવા સાથે નરાધમે દુષ્કર્મ કરી ગુપ્ત ભાગે ઇજા કરી

પલસાણા: (Palsana) પલસાણાના જોળવા ગામે રહેતી એક વિધવા (Widow) સાથે ત્યાં જ રહેતા એક નરાધમે બળાત્કાર (Abuse) કરી મહિલાના ગુપ્ત ભાગોને ઇજાગ્રસ્ત કરી ભાગી છૂટ્યો હતો. ભોગ બનનારી મહિલાએ આ અંગે પલસાણા પોલીસમથકે બળાત્કારની ફરિયાદ આપતાં પોલીસે (Police) તપાસ હાથ ધરી છે.

  • જોળવામાં ધાબા ઉપર નાહવા બેઠેલી વિધવા ઉપર નરાધમનો બળાત્કાર, ગુપ્ત ભાગે ઇજા પણ કરી
  • મહિલાને સારવાર માટે ઉંભેળની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ
  • ભોગ બનનાર મહિલા અને દુષ્કર્મ કરનાર બંને પરિચિત હોવાનું બિલ્ડિંગમાં રહેતા લોકોએ જણાવ્યું

પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા તાલુકામાં ૨ દિવસ પહેલાં જ એક ૪ વર્ષની બાળકીનું અપહરણ કરી તેની સાથે શારીરિક અડપલાં કરતા ઇસમને સ્થાનિકોએ માર મારી પોલીસને હવાલે કર્યો હોવાનો બનાવ બન્યો હતો. ત્યાં ગત મંગળવારે બપોરે પલસાણાના જોળવાના અવાવરુ વિસ્તારમાં આવેલા વિસ્તારમાં એક ૩૦ વર્ષીય વિધવા તેની બિલ્ડિંગના ધાબા પર સ્નાન કરી રહી હતી. ત્યારે એ જ બિલ્ડિંગમાં રહેતા દીપક મોહન મરૈયા નામના હવસખોરે યુવતીને સ્નાન કરતી વખતે જ પકડી લઈ બળાત્કાર ગુજાર્યો હતો.

આ બનાવમાં મહિલાએ તેના બચાવ માટે બૂમો પાડતાં નરાધમ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ઘટના બાદ યુવતીના ગુપ્ત ભાગે ઇજા કરતાં લોહી નીકળતું હોવાથી તેને નજીકની તેમજ ઉંભેળની ખાનગી હોસ્પિટલમાં લઈ જઇ સારવાર કરવામાં આવી હતી. આ અંગે પરિવારને જાણ કર્યા બાદ તેઓએ બળાત્કારી દીપક નામના ઇસમ સામે પલસાણા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. અને પલસાણા પોલીસે એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે.

ભોગ બનનારી મહિલા સાથે આરોપીનો પ્રેમસંબંધ હતો?
ભોગ બનનાર મહિલા અને દુષ્કર્મ કરનાર બંને પરિચિત હોવાનું બિલ્ડિંગમાં રહેતા લોકોએ જણાવ્યું હતું. તેમજ બંને વચ્ચે પ્રેમસંબંધ પણ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ ઘટના બની ત્યારે ધાબા ઉપર તેમજ દુષ્કર્મનો ભોગ બનનારી મહિલાના રૂમ ઉપરથી પણ લોહીના ડાઘ ધોઈ નાંખવામાં આવ્યા હતા. ત્યારે માં-બાપે પોલીસને શા માટે ફરિયાદ ના કરી? મહિલાને જ્યારે ઉંભેળની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ ત્યારે ડોક્ટરે પોલીસને આ અંગે જાણ કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પોલીસ પણ આ દિશામાં તપાસ કરી આરોપી સુધી પહોંચી હોવાનું જાણવા મળે છે.

Most Popular

To Top