Sports

‘KL રાહુલ શ્રેષ્ઠ કેપ્ટન બની શકે છે’, ટીમ ઈન્ડિયામાં સ્થાનના વિવાદ વચ્ચે કોચનું નિવેદન

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાએ (Team India) હાલમાં શ્રીલંકા (Sri Lanka) સામે વનડે સીરીઝ (ODI Series) રમવાની છે, ત્યાર બાદ તેને ઘરઆંગણે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સામનો કરવો પડશે. કેએલ રાહુલને (KL Rahul) ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે કારણ કેએલ રાહુલ ટૂંક સમયમાં જ લગ્ન કરશે. જો કે કેએલ રાહુલના ફોર્મ પર પહેલા પણ ઘણા સવાલો ઉઠ્યા હતા. આ દરમિયાન ઝિમ્બાબ્વેના દિગ્ગજ ખેલાડી અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં લખનઉ સુપરજાયન્ટ્સના કોચ એન્ડી ફ્લાવરે કેએલ રાહુલની તરફેણમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. એન્ડી ફ્લાવરનું કહેવું છે કે કેએલ રાહુલ ટીમ ઈન્ડિયા માટે શ્રેષ્ઠ કેપ્ટન સાબિત થઈ શકે છે.

જણાવી દઈએ કે કેએલ રાહુલ આ પહેલા પણ કેટલીક મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે, પરંતુ તાજેતરમાં ખરાબ ફોર્મને કારણે તેની પાસેથી વાઇસ કેપ્ટન્સી પાછી ખેંચી લેવામાં આવી હતી. રોહિત શર્મા પછી કેએલ રાહુલને લીડર માનવામાં આવતો હતો, પરંતુ તે દરમિયાન તેનું ફોર્મ બગડ્યું અને બીજી તરફ હાર્દિક પંડ્યાએ જોરદાર વાપસી કરી જેમાં તેણે પણ પોતાને એક નેતા તરીકે સાબિત કર્યો, જે ઘણો બદલાઈ ગયો.

‘કેએલ ખૂબ જ શાંત અને મહાન લીડર છે’
કેએલ રાહુલની પ્રશંસા કરતા એન્ડી ફ્લાવરે કહ્યું કે કેએલ એક મહાન લીડર અને બેટ્સમેન છે. હું લાંબા સમયથી તેને અનુસરી રહ્યો છું, તે એક તેજસ્વી નેતા પણ છે અને હજુ પણ યુવાન છે. તે ખૂબ જ શાંત, સંયમિત વ્યક્તિ છે, મને તેની સાથે IPLમાં કામ કરવાની ખૂબ મજા આવી હતી. જ્યારે એન્ડી ફ્લાવરને સૂર્યા, પંડ્યા કે શ્રેયસ અય્યર વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે હું માત્ર એટલું જ કહી શકું છું કે કેએલ રાહુલ એક મહાન લીડર બની શકે છે, કારણ કે તે બાકીનાને આટલા નજીકથી જાણતો નથી, તો તેના પર ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં.

ઉલ્લેખનીય છે કે, ODI અને T20 ટીમમાં ઋષભ પંતના ખરાબ ફોર્મને કારણે અને પછી તેના અકસ્માતને કારણે વિકેટકીપર-બેટ્સમેનની જગ્યા ખાલી પડી હતી. અત્યારે આ જગ્યા કેએલ રાહુલ દ્વારા ભરવામાં આવી રહી છે, કારણ કે ઓપનિંગ સ્લોટમાં તેની બેટિંગની ટીકા થઈ રહી હતી. આ જ કારણ છે કે ટીમ ઈન્ડિયામાં કેએલ રાહુલના ભવિષ્ય પર સવાલો ઉઠી રહ્યા હતા.

Most Popular

To Top