National

જમ્મુ-કાશ્મીર: મિની બસ ખીણમાં પડી, મહિલા સહિત 5નાં મોત

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં (Jammu kashmir) ગમખ્વાર અકસ્માત (Accident) થયો હોવાનું જાણવા મળ્યું છે. જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. જેમાં 5 લોકોના મોત (Death) થયા છે, જ્યારે 15 લોકો ઘાયલ (Injured) હોવાનું કહેવાય છે. જેમને પોલીસે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે. પોલીસે મૃતદેહોના પંચનામા કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ સાથે તેમના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી છે. વાસ્તવમાં આ ઘટના જમ્મુ-કાશ્મીરના બિલ્લાવરના ધનુ પરોલ ગામમાં બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, કૂગથી ડેની પેરોલ લઈ જતી એક મિની બસ લપસીને ઊંડી ખીણમાં પડી ગઈ. આ અકસ્માતમાં શરૂઆતમાં ચાર લોકોના મોત થયા હતા. પાંચમા વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં એક મહિલા સહિત પાંચ લોકોના મોત થયા છે. અન્ય 15 ઘાયલ છે, જેમને સારવાર માટે બિલ્લાવરની ઉપ-જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ બંતુ, હંસ રાજ, અજીત સિંહ, અમરુ અને કાકુ રામ તરીકે થઈ છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉત્તરાખંડમાં કાર ખીણમાં પડી
તમને જણાવી દઈએ કે આ અગાઉ ઉત્તરાખંડના મસૂરી ધનોલ્ટી રોડ પર એક કાર બેકાબૂ થઈને ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. આ કારમાં ત્રણ લોકો હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને બચાવ્યા હતા. આ પછી બધાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માત સાથે જોડાયેલો એક વીડિયો સામે આવ્યો હતો. હિમવર્ષાના કારણે ટીમને બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કારના દરવાજાને નુકસાન થતાં પોલીસે દરવાજો તોડીને યુવકોને બહાર કાઢ્યા હતા.

મહારાષ્ટ્રમાં બસ પલટી જતાં બેનાં મોત
આ પહેલા મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં ગુરુવારે બસ પલટી જતાં બે લોકોના મોત થયા હતા અને 30 અન્ય ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માત સવારે લગભગ 5.30 વાગ્યે થયો હતો. અધિકારીના જણાવ્યા અનુસાર, મુંબઈથી 480 કિમી દૂર કંકાવલીમાં ગાડ નદીના પુલ પાસે એક તીવ્ર વળાંક પર ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે બસમાં 36 મુસાફરો હતા અને બસ પૂણેથી ગોવા જઈ રહી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે.

Most Popular

To Top