Business

જોડિયા બાળક સાથે ઈશાનો વીડિયો આવ્યો સામે, 300 કિલો સોનું દાન કરશે અંબાણી પરિવાર!

નવી દિલ્હી: ભારતના સૌથી સફળ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમના પરિવાર માટે આજનો દિવસ ખાસ છે. મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી (Isha Ambani) આજે પોતાના જોડિયા બાળકો (Twins baby) સાથે ભારત (India) પરત ફરી છે. અંબાણી પરિવારે ઈશા અને તેના જોડિયા બાળકોન સ્વાગત માટે પહેલેથી જ જોરદાર તૈયારીઓ કરી લીધી હતી. દરેકનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણી પોતે દીકરીને રિસીવ કરવા આવ્યા હતા.

ઈશાના બાળકોનો પહેલો વિડીયો સામે આવ્યો
જેમાં સમાચાર આવ્યા હતા કે ઈશા અંબાણી ટૂંક સમયમાં અમેરિકાના લોસ એન્જલસથી મુંબઈ પરત ફરવાની છે. નવેમ્બરમાં, તેણે તેના જોડિયા કૃષ્ણ અને આડિયાને જન્મ આપ્યો હતો. આ પછી આ પહેલીવાર છે જ્યારે ઈશા ઘરે આવી છે. દીકરીના આગમનની ખુશીમાં અંબાણી પરિવારે ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં નીતા અંબાણી તેના પૌત્ર/પૌત્રીને હાથમાં પકડીને જોઈ શકાય છે.

મુકેશ અને નીતા અંબાણી દીકરીને લેવા એરપોર્ટ પહોંચ્યા હતા. અહીં નીતા તેના હાથમાં એક બાળક સાથે જોવા મળી હતી. બીજું બાળક ઈશા અંબાણીના હાથમાં હતું. નીતા અંબાણીએ પોતાની પૌત્રીને બાંહોમાં પકડીને જે ખુશી વ્યક્ત કરી હતી તે જોવા જેવી છે. તે સતત પાપારાઝીનો આભાર કહી રહી છે. પરિવારને બાળકો સાથે કારમાં જતા જોઈ શકાય છે.

ઈશા અને તેના બાળકો માટે પૂજા રાખવામાં આવશે
ભારતના વિવિધ મંદિરોમાંથી ઘણા પંડિતોને ઈશા અંબાણીના વર્લીમાં સ્થિત ઘર કરુણા સિંધુમાં બોલાવવામાં આવ્યા હતા. અહીં બાળકો માટે ભવ્ય પૂજા-પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અંબાણી પરિવાર દાન કરશે 300 કિલો સોનું?
ઈશા અંબાણી અને તેના બાળકો સ્વસ્થત રીતે ઘરે પરત ફર્યા તે માટે પૂજા તેમજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ચર્ચા છે કે અંબાણી પરિવાર પણ બાળકોના નામે 300 કિલો સોનું દાન કરવા જઈ રહ્યો છે. આ સિવાય પૂજાના ભોજનનું મેનુ પણ સરળ રાખવામાં આવ્યું નથી. કારણ કે પૂજામાં રસોઇ બનાવવા માટે વિશ્વભરમાંથી વિવિધ કેટરર્સને બોલાવવામાં આવ્યા છે. અંબાણી પરિવાર તેમના ઘરના ભવ્ય સમારોહમાં ભારતના મોટા મંદિરો જેમ કે તિરુપતિ બાલાજી, તિરુમાલા, શ્રીનાથજી, નાથદ્વારા અને શ્રી દ્વારકાધીશ અને અન્ય સ્થળોએથી વિશેષ પ્રસાદ પીરસશે.

ઈશા અને તેના બાળકો કતારથી ફ્લાઈટ દ્વારા મુંબઈ આવ્યા હતા. આ ફ્લાઈટ કતારના નેતાએ જ મોકલી હતી, જે મુકેશ અંબાણીના સારા મિત્ર પણ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈના શ્રેષ્ઠ ડોક્ટરોની ટીમ પણ લોસ એન્જલસ પહોંચી હતી. આ તમામ ઈશા અને બાળકોને તેમની દેખરેખ હેઠળ મુંબઈ લઈ આવ્યા છે.

અમેરિકાના શ્રેષ્ઠ બાળરોગ ચિકિત્સકોમાંના એક ડૉ. ગિબ્સન પણ ડૉક્ટરોની ટીમ સાથે હતા. તેમનું કામ એ સુનિશ્ચિત કરવાનું હતું કે જોડિયાની ફ્લાઇટ સલામત છે. તેમજ બાળકોની સંભાળ રાખવા માટે 8 ટ્રેનની આયા યુએસએથી મુંબઈ આવી છે. આ તમામ ઈશા અને બાળકો સાથે ભારતમાં જ રહેશે.

બાળકો માટે ખાસ નર્સરી
પર્કિન્સ એન્ડ વિલે કરુણા સિંધુ અને એન્ટિલિયા ખાતે બાળકો માટે નર્સરી ડિઝાઇન કરવામાં આવી હતી. તેમની પાસે ફરતી પથારી અને સ્વયંસંચાલિત છત છે જેથી બાળકો કુદરતી સૂર્યપ્રકાશનો આનંદ માણી શકશે. નર્સરીમાં તમામ ફર્નિચર લોરો પિયાના, હર્મેસ અને ડાયર જેવી મોટી બ્રાન્ડ્સમાંથી બનાવેલ કસ્ટમ છે. ઈશાના બાળકો વિશ્વ વિખ્યાત ફેશન ડિઝાઇન બ્રાન્ડ ડોલ્સે એન્ડ ગબ્બાના, ગુચી અને લોરો પિયાનાના પોશાક પહેરશે. એટલું જ નહીં, તેમને BMWની એક્સક્લુઝિવ ડિઝાઈનર કાર સીટો પર બેસાડવામાં આવશે.

Most Popular

To Top