Vadodara

નર્મદા નદીમાં ડુબેલા વધુ એક તરુણની લાશ મળી, બે લાપતા

       શિનોર : શિનોર તાલુકાના દીવેર ગામ નર્મદા  નદી કિનાર રવિવારે એક સાધલીનો એક અને કરજણના ત્રણ યુવાનો નાહવા જતાં ઊંડા વહેણમાં તણાઈ ગયા હતાં. રવિવારે સાધલી ના તરુણની લાશ મળી હતી જ્યારે સોમવારે અન્ય એક તરુણની લાશ મળી આવી છે. હજુ બે તરુણોની લાશની તપાસ ચાલુ છે. રવિવારનો રજાનો લાભ લઈને ચાર તરુણો દિવેર કિનારે નદીએ સ્નાન કરવા ગયા હતા.

જેમાં સાધલીનો રોહિત સુરત વસાવા ઉંમર વર્ષ 16, કરજણ જલારામ નગર માં રહેતો વિષ્ણુ મહેશ રાઠોડ, પ્રતીક સુરેશ રાઠોડ તથા પ્રવિણ રાઠોડ નદીમાં નાહવા પડ્યા હતાં. પરંતુ આ બધા નદીના વહેણમાં તણાઈ ગયા હતા. વડોદરાથી એનડીઆરએફની ટીમ આવી ત્યારે રોહિત વસાવાનો મૃતદેહ મળ્યો હતો.

સોમવારે સ્થાનિક લોકોએ નાવડી લઈને તપાસ કરતાં બપોરે વિષ્ણુ મહેશ રાઠોડ ની લાશ મળી આવી હતી જ્યારે અન્ય બે પ્રતીક સુરેશ રાઠોડ અને પ્રવિણ રાઠોડ ની લાશ મળી આવી નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top