National

ફેસબુક અને ગૂગલના વપરાશકર્તાઓ માટે ખુશીના સમાચાર, જોકે વોટ્સએપ બાબતે હજી અનિશ્ચિતતા

સોશિયલ મીડિયા ( social media ) અને ઓટીટી પ્લેટફોર્મ ( ott platform ) માટે સરકારની નવી માર્ગદર્શિકા અંગે હોબાળો મચી ગયો છે. વોટ્સએપે ( whatsapp ) સરકારના નીતિ નિયમો સામે દિલ્હી હાઇકોર્ટ ( delhi highcourt) નો દરવાજો ખખડાવ્યો છે. વોટ્સએપે કહ્યું છે કે સરકારની નવી દિશાનિર્દેશોના અમલથી તેના વપરાશકર્તાઓની ગોપનીયતા સમાપ્ત થઈ જશે અને તે બંધારણનું ઉલ્લંઘન પણ થશે. દરમિયાન ફેસબુકે ( facebook) કહ્યું છે કે તેને નવી ગાઇડલાઇન અંગે કોઈ વાંધો નથી. ફેસબુક પછી હવે ગૂગલે ( google) પણ કહ્યું છે કે તે સરકારની નવી માર્ગદર્શિકા મુજબ ભારતમાં તેની સેવાઓ પ્રદાન કરશે.

ગુગલના પ્રવક્તાએ કહ્યું કે, “અમને સમજાયું છે કે અમે અમારા પ્લેટફોર્મને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવામાં ક્યારેય સફળ થયા નથી પરંતુ અમે અમારા પ્રયત્નો છોડીશું નહીં.” અમે અમારી નીતિ શક્ય તેટલી પારદર્શક રાખીશું. અમે ભારત સરકારના કાયદાનું સન્માન કરીએ છીએ. ભારત સરકાર સાથે અમારો લાંબો ઇતિહાસ છે કે જ્યારે પણ કોઈ વાંધાજનક સામગ્રી અંગે ફરિયાદ આવે છે ત્યારે અમે તેની તપાસ કરીએ છીએ અને પછી જરૂર પડે ત્યારે તેને દૂર કરીએ છીએ. અમે સ્થાનિક કાયદાનું સંપૂર્ણ પાલન કરીશું. ‘

આ અગાઉ મંગળવારે પણ ફેસબુકે કહ્યું હતું કે તે સરકારની નવી માર્ગદર્શિકા અનુસાર કાર્ય કરશે, જોકે ફેસબુકે એમ પણ કહ્યું હતું કે તે અન્ય ઘણા મુદ્દાઓ પર સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં, ભારત સરકારમાં સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી અને કાયદા અને ન્યાયના કેબિનેટ પ્રધાન, રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે સરકાર ટીકા અને મતભેદના અધિકારને આવકારે છે, પરંતુ સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ પાસે ફરિયાદ કરવા માટે પ્લેટફોર્મ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવા નિયમો હેઠળ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરિયાદ નિવારણ મિકેનિઝમ હોવું આવશ્યક છે, તેઓએ ફરિયાદ અંગે જે તે અધિકારીનું નામ પણ ઉમેરવું પડશે, જે 24 કલાકની અંદર ફરિયાદ દાખલ કરશે અને 15 દિવસમાં તેનું સમાધાન લાવશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ભારત સરકાર વચ્ચે હાલ ચાલી રહેલા ગોપનિયતાના વિવાદમાં હવે ફેસબૂક અને ગૂગલ બંને સરકારના નીતિ નિયમોને માનવા માટે તૈયાર થઈ ગયા છે ત્યારે ભારતમાં આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વપરાશકર્તાઓને રાહત મળી છે. જ્યારે વોટ્સએપ વપરાશકર્તાઓ માટે હજી અનિશ્રિતતા પ્રવર્તી રહી છે. વોટ્સએપે કહ્યું છે કે સરકારની નવી દિશાનિર્દેશોના અમલથી તેના વપરાશકર્તાઓની ગોપનીયતા સમાપ્ત થઈ જશે અને આ મામલે તે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યું છે.

Most Popular

To Top