Charchapatra

પીડિત હિન્દુઓને આવવું હોય તો ભારતમાં બોલાવી લેવા જોઇએ

બાંગ્લાદેશમાં, ત્યાંના લઘુમતી સમુદાય ગણાતા હિન્દુઓ વિરુધ્ધ રમખાણો ફાટી નીકળ્યાં છે. હિન્દુઓનાં ધર્મસ્થાનોને તોડી નાખવામાં આવી રહ્યાં છે. હિન્દુઓની દુકાનો અને ઘરોને આગ ચાંપવામાં આવી રહી છે. હિન્દુઓ પર પથરા મારવામાં આવી રહ્યા છે. આ બધાં તોફાનો બાંગલા દેશના મુસલમાનો કરી રહ્યા છે. હિન્દુઓ ઉપરના થતા આવા અમાનુષી અત્યાચારો પાછળ કારણ એ આપવામાં આવ્યું છે કે કોઇ  હિન્દુ યુવાને ફેસબુક પર ઇસ્લામ ધર્મનું અપમાન કરી પોસ્ટ મુકી હતી.

આ માત્ર હિન્દુઓ ઉપર હુમલા કરવા માટેનું હાથ વગું હળાહળ ખોટુ બહાનું છે. પાંજરામાં પૂરાયેલા સિંહને, એ પાંજરામાં દાખલ થઇને, કોઇ માણસ, સિંહને ચાબુક મારવાની બાલિશ ચેષ્ટ કે ખરો કે?! એ જ રીતે મુસલમાનો વચ્ચે દબાઇ – ચંપાઇને જીવતા કોઇ હિન્દુની મજાલ નથી કે એ હિન્દુ, ઇસ્લામ ધર્મ વિશે ઘસાતુ કે અપમાનજનક બોલી શકે કે પોસ્ટ કરી શકે. ફ્રાંસમાં એક બીજા મુસ્લિમ શિક્ષકે, ઇસ્લામ ધર્મ વિશે ઘસાતું બયાન કર્યું હતું. એટલામાં તો એ શિક્ષકની હત્યા કરી નાંખવામાં આવી હતી. અને ફ્રાંસમાં ભારે તોફાનો થયાં હતાં. તો શું પેલો બાંગલાદેશી હિન્દુ, ઇસ્લામ વિશે ખોટી વાત કરવાનું જોખમ નહિ જાણતો હોય?!

એટલે, આ તો તોફાનો આચરવાનું એક કપોળકલ્પિત બહાનું જ છે. આમેય બાંગલાદેશમાં જ નહિ, પણ ઘણાં ઇસ્લામી રાષ્ટ્રોમાં હિન્દુઓ જેવી લઘુમતી કોમોને ભયંકર યાતનાઓ આપવાની ઘટનાઓ વણ રોકી બનતી આપણે જોઇ રહ્યા છીએ. આ સ્થિતિએ, ભારતે, આવા પીડિત હિન્દુઓને કાયમને માટે ભારતમાં વસાવવા બોલાવી લેવા જોઇએ. આમેય બાંગલાદેશમાંથી ત્યાંના હજારો, બહુમતી ધરાવતા લોકો, ભારતમાં બીન અધિકૃત રીતે ઘૂસી ચૂકયા છે. એ બધાંને વીણી-વીણીને, પાછા બાંગલાદેશમાં ધકેલી દેવા જોઇએ. અને બીચારા પેલા, યાતનાઓ સહન કરનાર, બાંગલાદેશી હિન્દુઓને ભારતમાં વસાવવા માટે અભિયાન આદરવું જોઇએ. આવા કાર્યમાં સરકારે કહેવાતા સેકયુલરો વગેરેની કોઇ પણ પ્રકારની ફિલસુફીને કાને ધરવી જોઇએ નહિ.
સુરત     – બાબુભાઇ નાઇ  -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top