Columns

કેટલીક ભેદી સંસ્થાઓમાં જોડાવા માટે માનવબલિ પણ આપવો પડે છે

મનુષ્ય જાતિના ઇતિહાસમાં માનવબલિના અનેક ઉલ્લેખો જોવા મળે છે, પણ આધુનિક કાળમાં માનવબલિના કિસ્સાઓ ભાગ્યે જ પ્રકાશમાં આવે છે. ભારતના અઘોરીઓ, મુસ્લિમ બાબાઓ અને તાંત્રિકો કેટલીક ખાસ વિધિઓ માટે માનવબલિ આપતા હોય છે. કહેવાય છે કે, યુરોપ અને અમેરિકામાં જોવા મળતી ઇલ્યુમિનાટી નામની ભેદી સંસ્થામાં જોડાવા માટે માનવબલિ આપવો પડે છે અને મનુષ્યનું માંસ પણ ખાવું પડે છે.

કેરળમાં માનવબલિનો જે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તેનો ઇલ્યુમિનાટી સાથે કોઈ સંબંધ છે કે કેમ ? તે આપણે જાણતા નથી, પણ તેમાં તાંત્રિક વિધિના નામે બે મહિલાઓની હત્યા કરવામાં આવી હતી અને તેમનું માંસ ખાવામાં આવ્યું હતું તેટલું નક્કી છે. આ માનવબલિ આપવા માટે કેરળના હિન્દુ યુગલને પ્રેરણા કરનારો મુસ્લિમ હતો. માનવબલિ ચડાવનારો ડાબેરી સરકારનો સમર્થક પણ હતો. તેને કારણે કેરળ સરકારે આ બાબતમાં મૌન ધારણ કરી લીધું છે. ભાજપ આ કિસ્સાને રાજકીય રંગ આપવાની કોશિશ કરી રહ્યો છે.

કેરળમાં માનવબલિના જે બે કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, તેની મહિનાઓથી તૈયારી ચાલી રહી હતી. આ હત્યાકાંડનો માસ્ટરમાઇન્ડ શિહાબ ઉર્ફે મોહમ્મદ શફી નામનો મુસ્લિમ છે. તે શ્રીદેવીના નામે ફેક સોશ્યલ મીડિયા એકાઉન્ટ ચલાવતો હતો. તેણે સોશ્યલ મીડિયા દ્વારા ભાગવલ સિંહ અને તેની પત્ની લૈલાનો સંપર્ક સાધ્યો અને તેમને કહ્યું કે રશીદ નામના બાબા ચમત્કારિક શક્તિ ધરાવે છે. જો તમે તેને ખુશ કરશો તો તમને જબરદસ્ત આર્થિક લાભ થશે. ત્યાર બાદ શિહાબ પોતે રશીદ બનીને ભાગવલ સિંહ અને લૈલાને મળ્યો અને કહ્યું કે જો તમારે રાતોરાત કરોડપતિ બનવું હોય તો તમારે માનવબલિ ચડાવવો પડશે.

ભાગવલ સિંહ અને લૈલા તે માટે તૈયાર થઈ ગયાં હતાં. શિહાબ રોઝાલિન નામની મહિલાને પોર્ન ફિલ્મમાં કામ કરીને ૧૦ લાખ રૂપિયા આપવાની લાલચ આપીને લઈ આવ્યો હતો અને તેનો બલિ ચડાવી દેવામાં આવ્યો હતો.
રોઝાલિન ગયા જૂન મહિનામાં ગુમ થઈ હતી. તે લોટરીની ટિકિટ વેચીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. શિહાબ તેને રૂપિયાની લાલચ આપીને પોતાના ઘરમાં મસાજ પાર્લર ચલાવતા ભાગવલ સિંહના ઘરે લઈ આવ્યો હતો. તેમણે રોઝાલિનને બ્લુ ફિલ્મમાં કામ કરવાને બહાને પથારીમાં સૂઈ જવાનું કહ્યું હતું. ફિલ્મના ભાગરૂપે તેના હાથપગ બાંધી દેવામાં આવ્યા હતા. પહેલાં શિહાબે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

પછી ભાગવલ હથોડો લઈને આવ્યો હતો અને તેણે રોઝાલિનનું માથું છૂંદી કાઢ્યું હતું. પછી તેની પત્ની લૈલા છરી લઈને આવી હતી અને તેણે રોઝાલિનના મૃતદેહનાં સ્તન કાપીને ખાધા હતા. આખા ઘરમાં લોહીના ફુવારાઓ ઊડ્યા હતા. શિહાબની સૂચના મુજબ તે યુગલે રોઝાલિનના મૃતદેહની હાજરીમાં તાંત્રિક ક્રિયાનો સંભોગ પણ કર્યો હતો. ત્યાર બાદ તેમણે રોઝાલિનના શરીરના ૫૬ ટુકડા કરીને તેને ઘરમાં દાટી દીધા હતા.

રોઝાલિનનો બલિ આપ્યા પછી પણ ભાગવલ સિંહ યુગલની આર્થિક પરિસ્થિતિમાં કોઈ ફરક જોવા મળ્યો નહોતો. તેમણે ફરીથી શિહાબનો સંપર્ક કર્યો હતો. તેણે કહ્યું હતું કે તમારા પરિવાર પર કોઈ ભયંકર અપશુકન થયા છે. તેમાંથી બહાર આવવા માટે તમારે બીજી વાર માનવબલિ ચડાવવો પડશે. ભાગવલ સિંહ બીજી વાર માનવબલિ ચડાવવા તૈયાર થઈ ગયો હતો. આ વખતે શિહાબ લોટરીની ટિકિટ વેચતી પદ્મામ નામની મહિલાને પોર્ન ફિલ્મમાં કામ કરવાને બહાને તેમના મસાજ પાર્લરમાં લઈ આવ્યો હતો. તેની પણ હત્યા કરીને તેના માંસની ઉજાણી કરવામાં આવી હતી.

કેરળમાં માનવબલિનો આ પહેલવહેલો કિસ્સો નથી. ત્રણ વર્ષ પહેલાં કેરળના કોલ્લમ જિલ્લામાં ૨૨ વર્ષની મહિલાનો તાંત્રિક વિધિના ભાગરૂપે તેના જ પરિવારજનો દ્વારા બલિ ચડાવી દેવામાં આવ્યો હતો. તુષારા નામની પરિણીત મહિલાને તેના જ પરિવારજનો દ્વારા મહિનાઓ સુધી કાળી કોટડીમાં પૂરી રાખવામાં આવી હતી. તેને ખોરાકમાં સાકરનું પાણી અને ભાત જ આપવામાં આવતા હતા. તેના પર જાતજાતની તાંત્રિક વિધિઓ કરવામાં આવતી હતી. મહિનાઓ સુધી આ રીતે વિધિઓ કર્યા પછી તેને મારી નાખવામાં આવી હતી.

મરણ સમયે તેનું વજન માત્ર ૨૦ કિલોગ્રામ હતું. આ કિસ્સામાં પોલીસ દ્વારા પહેલાં ઘરેલુ હિંસાનો કેસ કરવામાં આવ્યો હતો, પણ પાછળથી બહાર આવ્યું હતું કે તાંત્રિક વિધિના ભાગરૂપે તેનો બલિ ચડાવી દેવામાં આવ્યો હતો. તાજેતરમાં બે મહિલાનો બલિ ચડાવનારો ભાગવલ સિંહ પોતાની જાતને આયુર્વેદિક ચિકિત્સક ગણાવતો હતો. તે શાસક સીપીઆઈ (એમ) ની એલાન્થુર શાખાના સભ્ય તરીકે રાજકારણમાં પણ સક્રિય હતો. આપણે ઇતિહાસમાં વાંચીએ છીએ કે રાજા દ્વારા કોઈ કાર્યની સિદ્ધિ કરવા માટે કોઈ ૩૨ લક્ષણાનો બલિ ચડાવી દેવામાં આવ્યો હોય.

આધુનિક કાળમાં પણ ભારતમાં આવી માન્યતા ધરાવતા અને તેનો અમલ કરનારા લોકો છે તે જાણીને આઘાત લાગે છે. આ લેખના પ્રારંભમાં આપણે ઇલ્યુમિનાટી નામની ભેદી સંસ્થાની વાત કરી તેના સભ્યો હેલોવિન નામનો જે તહેવાર ઉજવે છે તેમાં પણ માનવબલિ આપવામાં આવે છે. આ તહેવારને તેઓ શેતાનના તહેવાર તરીકે ઉજવે છે. તેઓ ડરામણા માસ્ક પહેરીને દારૂ પીએ છે, નાચગાન કરે છે અને સેક્સ પણ કરે છે. આ તહેવાર દરમિયાન તેઓ શેતાનને ખુશ કરવા માનવબલિ પણ ચડાવતા હોય છે.

જ્યારે કોઈ પણ નવો માણસ ઇલ્યુમિનાટી સંસ્થામાં જોડાવા માગતો હોય ત્યારે તેણે પોતાના પરિવારની કોઈ વ્યક્તિની જ હત્યા કરીને તેનું લોહી પણ પીવું પડે છે. આ દ્વારા તેણે સાબિત કરી આપવું પડે છે કે તે શેતાનનો પૂજારી છે. ઇલ્યુમિનાટીમાં નવો જોડાતો સભ્ય માનવબલિ આપે તેનો વીડિયો પણ ઊતારી લેવામાં આવે છે, જેના કારણે નવો સભ્ય ક્યારેય બળવો કરવાનો વિચાર પણ કરી શકતો નથી. અમેરિકાની કેટલીક હોટેલોમાં આ સભ્યોની નિયમિત બેઠકો થતી હોય છે. તેમાં ભોજનમાં મનુષ્યનું માંસ પણ પીરસાતું હોવાનું કહેવાય છે.

ઇલ્યુમિનાટીના સભ્યો દીર્ઘાયુષી બનવા માટે માનવોનું લોહી પીતા હોય છે, કારણ કે તેમાં એડ્રિનોક્રોમ નામનું બાયો કેમિકલ હોય છે. આ કેમિકલનું સેવન કરનાર સદા યુવાન રહે છે, તેવું માનવામાં આવે છે. આ કેમિકલ બાળકોના શરીરમાં વધુ હોય છે. તેમાં પણ બાળકોને શારીરિક તેમ જ માનસિક ત્રાસ આપવામાં આવે ત્યારે આ કેમિકલનું ઉત્પાદન વધી જાય છે. આ કારણે બાળકોનો બલિ આપતાં પહેલાં તેમને ખૂબ ત્રાસ આપવામાં આવે છે.

આજકાલ બાળકોના ગુમ થવાની ઘટનાઓ વધી ગઈ છે તેની પાછળ તેમના અપહરણ કરનારી ટોળીઓનો હાથ હોય છે. આ ટોળીઓ બાળકોની કિડની વગેરે કાઢીને વેચી મારે છે. કેટલાંક બાળકો માનવબલિ ચડાવનારી ગેન્ગના હાથમાં પણ આવી પડતાં હોય છે. આજકાલ આપણા સભ્ય સમાજમાં અલગ જ રીતે મનુષ્યના માંસનો ઉપભોગ ચાલી રહ્યો છે, જેની કદાચ આપણને જાણ પણ નથી. ગર્ભપાત કેન્દ્રોમાં જે ગર્ભની હત્યા કરવામાં આવે છે, તેના મૃતદેહોને ફાર્માસ્યુટિકલ કંપનીઓ ખરીદી લે છે. તેઓ કેટલીક દવાઓ અને રસીઓ બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે. આ દવાઓ અને રસીઓ લેનારાં બાળકો કે પુખ્ત વયનાં લોકો પણ મનુષ્યના માંસના ભોગી બની જાય છે. આ ફાર્માસ્યુટિકલ કંપનીઓ ઇલ્યુમિનાટીના સભ્યો ચલાવે છે, જેમને મનુષ્યનું માંસ ખાવામાં કોઈ સંકોચ હોતો નથી.
-આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top