Entertainment

ફિલ્મ “પઠાનના” વિરોધ વચ્ચે અયોધ્યાના સંતની શાહરુખને જાનથી મારી નાંખવાની ઘમકી

નવી દિલ્હી: ‘પઠાણ’ (Pathaan) ફિલ્મનું (Film) જ્યારથી બેશર્મ રંગ ગીત (Song) રીલીઝ થયું છે ત્યારથી વિવાદ (Controversy) શરુ થઇ ગયો છે. ફિલ્મમાં દીપિકાની બિકીનીના ભગવા રંગને લઈને ઘણો હોબાળો થયો છે. ત્યારે આ વચ્ચે અયોધ્યાના સંત જગતગપરપ પરમહંસ આચાર્યએ શાહરુખ ખાનને મારી નાંખવાની ધમકી (Threat) આપી છે. આ સાથે તેને એક ચેલેન્જ પણ આપી છે.

અયોધ્યાના સંત જગતગુરુ પરમહંસ આચાર્યએ ફિલ્મ પઠાનના વિરોધ અંગે જણાવ્યું છે કે આ એક સમજી વિચારીને કરવામાં આવેલી સાજીશ છે કે જે હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહી છે. વધારામાં તેઓએ જણાવ્યું કે જે રીતે હાલ પઠાનના પોસ્ટરોને સળગાવી ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તે રીતે જે દિવસે મને શાહરુખખાન મળશે હું તેને જીવતો સળગાવી દઈએ. આ સાથે તેઓએ એક વિવિદિત વાત કરી છે જેમાં તેઓએ કહ્યું છે કે શાહરુખ જે દિવસે મને મળશે તે દિવસે તેને હું મારી નાંખીશ. મારા માણસો તેને શોધી જ રહ્યાં છે. આ પહેલા જો કોઈ સનાતની મળશે અને જો તેને મારી નાંખશે તો તેના પરિવારને આર્થિક રીતે મદદ કરવાની જવાબદારી હું લઉં છું. આ સાથે તેઓએ બોલિવુડના ત્રણેય ખાનોને ધમકી આપતા કહ્યું હતું કે સૌથી પહેલા શાહરુખખાન ત્યાર પછી આમિરખાન અને ત્યાર પછી સલમાન ખાનને સજાએ મોત આપવાનું હું એ નક્કી કરી લીધું છે.

સંત પરમહંસે કહ્યું કે શાહરુખને મારતા પહેલા હું તેની ચામડી ઉખાડીશ કારણકે જે ધમનીઓમાં રકત પરિભ્રમણ થઈ રહ્યું છે તેનો રંગ પણ ભગવો જ છે. આ સાથે સૂર્ય, અગ્નિ, શાંતિનું પ્રતિક તેમજ સનાતન ધર્મનું પ્રતિક પણ ભગવો જ છે. ભગવા રંગનું અપમાન સહેવામાં નહિં આવશે.

સંતે કહ્યું શાહરુખખાનનો ધર્મ તો મુસ્લિમ છે પરંતું તેઓએ આજ સુધી પોતાના ધર્મ ઉપર કોઈ ફિલ્મ કે વેબસિરીઝ બનાવી નથી. વધારામાં તેઓએ કહ્યું કે હું ચેલેન્જ આપું છું કે તેઓ ત્રિપલ તલાક, મોહમ્મગ પૈગંબર મોહમ્મદના જીવન ઉપર ફિલ્મ બનાવીને બતાવે. કારણ કે જો આવું થશે તો 5 મિનિટની અંદર જ તેઓના કેટલાય ટુકડાં થઈ જશે. તેઓને ખબર છે કે હિંદુઓમાં માનવતા છે જેથી તેઓ ઉપર ફિલ્મ બનાવો અને પૈસા કમાવો. તેઓએ કહ્યું આ જેહાદી રાક્ષસોનો વઘ હવે અમે પણ કરીશું. આની શરૂખાત શાહરુખખાન, આમિરખાન તેમજ સલમાનખાનથી થશે.

Most Popular

To Top