Charchapatra

ઈશાન ભારતમાં ઉત્સવ

1958માં બંધારણ રચાયાનાં આઠમા વર્ષે એએફએસપીએ એટલે કે આમ ફોર્સીસ સ્પેશિયલ પાવર એકટ લાગુ પડાયો હતો. ઈશાન ભારતમાં અલાયગાવાદી હિંસાસાર થઈ ગયો હતો. ખુદ જવાહરલાલ નહેરુની સભાઓ કંગાળ પુરવાર થઈ. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલયમાં અલગાવેમાઝા મૂકી, છાપામારગેરિલા જૂથો ઊભાં થયા અને પડોશી વિદેશોમાં તાલીમ અને નાણાં મેળવીને તેઓ હુમલા કરે. બળાત્કારો અને ખંડણીનો હાહાકાર વર્તાવે. આપણે ઈન્ડિયામાં નથી. દિલ્હી અને ત્રિરંગા આપણાં નથી. એવો પ્રચાર કરનારા લાલકિલ્લા થી આગામી જાયુફીઝો અને મુવૈયા નેતાઓ ભયનું વાતાવરણ પેદા કરતા હતા. ઈશાન ભારતની આ સ્થિતિ પર કેન્દ્ર સરકારે શરૂઆત ખાસ ધ્યાન આપ્યું નહીં એટલે પરિસ્થિતિ પર વધુ બગડી હતી. મૂળ વાત તત્કાલીન નેતાગીરી તેની ઉદાસીનતા ઉપેક્ષાની પરંપરા પછી એ.એફ.એસ.પી. 1950માં લોકસભામાં પસાર થયો. નાગાલેન્ડ, નેશનલ કાઉન્સિલ અને એન.એસ.સી.એમના ગજગ્રહમાં યુદ્ધનું મેદાન બની ગયું હતું. 60 વર્ષના અસંતુલિત પરિસ્થિતિમાં સક્રિય આ કાનૂનને પાછો ખેંચવાનું ઐતિહાસિક પગલું હાલની કેન્દ્ર સરકારે ભર્યુ છે. પરંતુ ઉલ્ફા અને બીજી ત્રાસવાદી જૂથો એક સમસ્યા છે. આજનું ઈશાન ભારત આ નિર્ણયથી ખુશ અને ઉત્સવ મનાવી રહ્યું છે.
ગંગાધરા- જમીયતરામ હ. શર્મા

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top