Gujarat

ખેડૂતોને પાકના ભાવ મળે તેનું ધ્યાન રાખવું જરૂરી : ભૂપેન્દ્ર પટેલ

કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા ત્રણ કૃષિ કાયદા રદ કરવાના નિર્ણયની પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલી જાહેરાત બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને પાકના ભાવો મળી રહે તે જરૂરી છે. બદલાવના સમયે પીછેહટ કરવાની જરૂરત પડે છે. જો કે રાજ્ય સરકાર ખેડૂતોની સાથે જ છે. પૂર્વ ડે. સીએમ નીતિન પટેલે કહ્યું હતું કે લોકશાહી પદ્ધતિને અનુરૂપ સરકારે નિર્ણય લીધો છે. આવો નિર્ણય લેવા માટે પણ નૈતિક હિંમત હોવી જોઈએ.

Most Popular

To Top