National

શું બાગેશ્વર બાબાને ઓડિશા ટ્રેન અકસ્માતની પહેલાથી જાણકારી હતી? શું કહ્યું ધીરેન્દ્ર શાસ્ત્રીએ..?

નવી દિલ્હી: ઓડિશાના (Odisha) બાલાસોરમાં (BalasorTrainAccident) શુક્રવારે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. અહીં ત્રણ ટ્રેન વચ્ચે થયેલી ટક્કરના લીધે 275 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનામાં 1100 થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. હવે આ ઘટનાને લઈને બાગેશ્વર ધામના (Bageshwar) પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું (DhirendraShashtri) નિવેદન ચર્ચામાં આવ્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ દાવો કર્યો છે કે તેઓ પહેલેથી જ આવી ઘટનાઓનો અનુભવ કરે છે. જો કે, તેમણે કહ્યું કે ઘટનાઓ અંગે જાણવું અને તે ટાળવી એ બે અલગ-અલગ બાબતો છે.

જ્યારે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને પૂછવામાં આવ્યું કે શું તેમને બાલાસોર જેવી ઘટનાઓના પૂર્વ સંકેત મળે છે? ત્યારે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે તેમને આવી ઘટનાઓના સંકેતોનો અનુભવ થાય છે. આ સાથે જ બાબાએ કહ્યું કે, સંકેતો મળવા, તેની જાણકારી મળવી અને તે ઘટનાઓ ટાળવી એ અલગ અલગ બાબતો છે.

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભગવાન કૃષ્ણનું ઉદાહરણ આપતા કહ્યું કે, પ્રભુ શ્રી કૃષ્ણ પણ જાણતા હતા કે મહાભારતનું યુદ્ધ થશે અને ચારેતરફ વિનાશ વેરાશે, પરંતુ તેઓ સ્વયં ભગવાન હોવા છતાં તે યુદ્ધને ટાળી શક્યા નહોતા.

બાબાએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને શોક પણ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આ એક ભયંકર ઘટના બની હતી. હું પ્રાર્થના કરું છું કે આવી ઘટનાઓ દેશમાં ફરી ક્યારેય ન બને. તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી હતી.

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ટ્રોલ થયા
બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાના ચમત્કારો માટે દેશભરમાં ચર્ચામાં છે. તેઓ કાપલી કાઢીને લોકોના ભૂતકાળમાં ડોકિયું કરવાનો દાવો કરે છે. ક્યારેક તેઓ ભવિષ્યવાણી કરતા પણ જોવા મળે છે. પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રી બાલાસોર ટ્રેન દુર્ઘટનાને લઈને તેમના દાવાને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.

યુઝર્સ સવાલ પૂછી રહ્યા છે કે જ્યારે બાબામાં ભવિષ્ય જોવાની શક્તિ છે તો પછી તેમણે બાલાસર ટ્રેન દુર્ઘટના કેમ ટાળી નહીં? અથવા અકસ્માત અંગે અગાઉથી જાણ કેમ ન કરી જેથી અકસ્માત ટાળી શકાય. એ જ રીતે લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીને અનેક પ્રકારના સવાલો પૂછી રહ્યા છે.

Most Popular

To Top