Entertainment

જે વીણા કપૂરને લોકોએ શ્રદ્ધાંજલી આપી તે પોતે જ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ!

મુંબઈ: હમણાં થોડાં દિવસ પહેલા જ ટીવી એકટ્રેસ (TV Actress) વીણા કપૂરના મોતના (Death) સમાચાર સામે આવ્યા હતાં. ત્યારે આજરોજ આ એકટ્રેસ પોતે જ સામે આવી ગઈ હતી. અને પોલીસ સ્ટેશન (Police Station) પહોંચી હતી. તેણે જણાવ્યું હતું કે હું હજું પણ જીવું છું તેમજ મારો પુત્ર મને સારી રીતે રાખે છે. વઘુમાં તેઓએ જણાવ્યું કે જે વીણા કપૂરની હત્યા થઈ છે તે પણ એક અભિનેત્રી હતી. તેમજ અમે બંનેએ એક પંજાબી સીરિયલમાં કામ કર્યું હતું. આમારુ નામ એક જેવું છે તેમજ અમે બંને પણ અમારા પુત્ર સાથે રહેતા હતા. પરંતુ જે વીણા કપૂરની હત્યા થઈ તે હું નથી. જણાવી દઈએ કે જે વીણા કપૂરની હત્યા થઈ હતી તેને તેના પુત્રએ જ મોતના ધાટ ઉતારી હતી.

વીણા કપૂરે જણાવ્યું હતું કે જે વીણાની મોતના સમાચાર સામે આવતાની સાથે જ સોશિયલન મીડિયા પર મેસેજો આવવા લાગ્યા હતા તેમજ તેઓના ફોટા ઉપર શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી રહી હતી. જેના કારણે તેઓ ખૂબ જ હેરાન થઈ ગયા હતા અને તેઓ પોતાના પુત્ર સાથે જ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. તેમજ કહ્યું હતું કે હું હજુ જીવું છું તેમજ મારો પુત્ર મને ખૂબ જ સારી રીતે રાખે છે.

મુંબઈના પોશ વિસ્તાર જુહુમાં આવી જ એક ઘટના બની હતી જેણે ટીવી ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી હતી. પ્રખ્યાત અભિનેત્રી વીણા કપૂરની તેના જ પુત્ર દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. 74 વર્ષીય વીણા કપૂરનું મૃત્યુ તેના 43 વર્ષના આરોપી પુત્રએ તેને બેટ વડે માર મારીને કર્યું હતું. વીણા કપૂર મર્ડરના સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા હતાં. અભિનેત્રીના મૃત્યુની માહિતી તેની સહ અભિનેત્રી નીલુ કોહલીએ આપી હતી. નીલુએ જણાવ્યું હતું કે તેણે વીણા જી સાથે ટીવી શો ‘મેરી ભાભી’માં લગભગ 5 વર્ષ સુધી કામ કર્યું હતું. તેણે વધુમાં જણાવ્યું કે આ સિરિયલ પછી પણ બંનેએ બીજી સિરિયલમાં સાથે કામ કર્યું હતું. નીલુએ એ પણ જણાવ્યું કે કોરોના પછી તેનો વીણા જી સાથેનો સંપર્ક તૂટી ગયો, કારણ કે તે તેના પ્રોજેક્ટમાં વ્યસ્ત થઈ ગઈ હતી, હવે તે વિશ્વાસ નથી કરી શકતી કે વીણા કપૂર હવે આ દુનિયામાં નથી.

Most Popular

To Top