Gujarat

પિતાના નિધનથી શોકગ્રસ્ત સુખરામ રાઠવાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂબરૂ મળી સાંત્વના પાઠવી

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છોટાઉદેપૂરના પોતાના પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન કવાંટ તાલુકાના જામલી ગામે ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં સુખરામભાઈના પિતા હરીયાભાઈ નમલાભાઈ રાઠવાના દુ:ખદ અવસાનથી શોકગ્રસ્ત પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રી પટેલે સદ્દગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીની સાથે આરોગ્ય રાજ્યમંત્રી નિમિષા સુથાર, ધારાસભ્ય અભેસિંહ તડવી, મોહનસિંહ રાઠવાએ પણ સુખરામભાઇ રાઠવાના દિવંગત પિતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Most Popular

To Top