National

મધ્ય પ્રદેશમાં વિકેન્ડ લોકડાઉન : સીએમ શિવરાજસિંહ ચૌહાણ

શુક્રવારે સાંજે 6 થી સાંજના 6 વાગ્યા સુધી મધ્યપ્રદેશના તમામ શહેરોમાં લોકડાઉન ( LOCK DOWN ) કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં કોરોનાના ( CORONA ) વધતા જતા કેસોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય રાજ્યના શહેરી વિસ્તારોમાં જ લાગુ થશે. મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે ( SHIVRAJSINH CHAUHAN ) કહ્યું કે શુક્રવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી રાજ્યના તમામ શહેરોમાં લોકડાઉન ( LOCK DOWN ) ચાલુ રહેશે. આ સિવાય ભવિષ્યમાં કેટલીક વધુ કડક કાર્યવાહીનો અમલ પણ થઈ શકે છે. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે કટોકટી મેનેજમેન્ટ ગ્રુપની બેઠક બાદ અન્ય શહેરોની સરખામણીમાં કેસોની ગતિ વધારે છે તેવા શહેરો અંગે નિર્ણય લેવામાં આવશે.

એક દિવસ પહેલા નાઇટ કર્ફ્યુની ઘોષણા કરી
બુધવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કોવિડ -19 કેસમાં ઝડપી વધારાને કારણે 8 એપ્રિલથી રાજ્યના તમામ શહેરી વિસ્તારોમાં નાઇટ કર્ફ્યુ ( NIGHT CURFEW) લાગુ કરવાની ઘોષણા કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યની તમામ સરકારી કચેરીઓ આગામી ત્રણ મહિનામાં અઠવાડિયાના માત્ર પાંચ દિવસ (સોમવારથી શુક્રવાર) કાર્યરત રહેશે. શિવરાજસિંહ ચૌહાણે ટ્વિટ કર્યું હતું, જેમાં લખ્યું છે કે, ‘કોવિડ -19 ના વધતા જતા ચેપને રોકવા માટે આજે મીટિંગમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. રાજ્યની તમામ સરકારી કચેરીઓ અઠવાડિયાના 5 દિવસ (સોમવારથી શુક્રવાર), આગામી 3 મહિના માટે સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે. તેઓ શનિવાર-રવિવારે બંધ રહેશે.

મધ્ય પ્રદેશમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે
મધ્યપ્રદેશમાં બુધવારે કોરોના વાયરસના ચેપના 4,043 નવા કેસ નોંધાયા છે અને આની સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં વાયરસથી સંક્રમિત મળી કુલ લોકોની સંખ્યા 3,18,014 પર પહોંચી છે. રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે આ રોગચાળાને કારણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13 વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 4,086 પર પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે, કોવિડ -19 ના 866 નવા કેસ બુધવારે ઈન્દોરમાં આવ્યા હતા, જ્યારે ભોપાલમાં 618 નવા કેસ નોંધાયા હતા.

વધતાં જતાં કોરોના કેસો વચ્ચે અત્યાર સુધીમાં રસીના 9 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, ભારતમાં કોરોના કેસોમાં સતત વધી રહેલી વૃદ્ધિની વચ્ચે, આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે રસીકરણ પ્રાથમિકતાના આધારે કરવામાં આવી રહ્યું છે. રસીકરણ અભિયાનનો ત્રીજો તબક્કો 1 એપ્રિલથી શરૂ થયો હતો, જે અંતર્ગત 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈપણને કોરોના ડોઝ લાગુ કરવાની મંજૂરી છે.

પીએમ મોદીની આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મુલાકાત
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં જીવલેણ કોરોના વાયરસના વધતા જતા ખતરા અંગે આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. દેશમાં કોરોના વાયરસની ગતિ બેકાબૂ બની ગઈ છે અને નવી લહેર સૌથી મોટો પડકાર બનીને બહાર આવી છે. દેશમાં પ્રથમ વખત 24 કલાકમાં એક લાખથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા છે. આજે સાંજે 6.30 વાગ્યે બેઠક મળશે.

Most Popular

To Top