Gujarat

રાજ્યમાં કોરોનાના 12,545 નવા કેસ : 123 દર્દીના મોત

રાજ્યમાં કોરોનાના નવા 12,545 કેસ નોંધાયા હતા. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 8053 થયો છે.ગુરૂવારે અમદાવાદ મનપામાં 16, સુરત મનપામાં 9, સુરત ગ્રામ્યમાં 4, વડોદરા મનપામાં 7, વડોદરા ગ્રામ્યમાં 6, રાજકોટ મનપામાં 8, રાજકોટ ગ્રામ્યમાં 7, જામનગર મનપામાં 8, ભાનગરમાં મનપા 4, ભાવનગર ગ્રામ્યમાં 5, જૂનાગઢ મનપામાં 3, જૂનાગઢ ગ્રામ્યમાં 5, કચ્છમાં 5, મહેસાણામાં 5, સહિત કુલ 123 દર્દીઓએ કોરોનામાં જીવ ગુમાવ્યાં છે. બીજી તરફ આજે 13,021 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,90,412 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર 75.92 ટકા થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન ગુરૂવારે અમદાવાદ મનપામાં 3884, સુરત મનપામાં 1039, વડોદરા મનપામાં 638, રાજકોટ મનપામાં 526, ભાવનગર મનપામાં 242, ગાંધીનગર મનપામાં 143, જામનગર મનપામાં 397 અને જૂનાગઢ મનપામાં 232 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 388, જામનગર ગ્રામ્ય 332, વલસાડ 108, મહેસાણા 482, વડોદરા ગ્રામ્ય 380 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 1,47,525, વેન્ટિલેટર ઉપર 786 છે અને 1,46,739 દર્દીઓ સ્ટેબલ છે.

અત્યાર સુધીમાં કુલ 1,01,60,781 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 28,69,746 વ્યકિતઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 1,30,30,257 રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. ગુરૂવારે 18 થી 44 વર્ષ સુધીના 27,776 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું છે તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45 થી 60 વર્ષના કુલ 37,609 વ્યકિતઓનું પ્રથમ ડોઝ અને 1,09,367 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું હતું. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

Most Popular

To Top