National

રાહુલનો PM મોદી પર પલટવાર કહ્યું તમારી વાતો પરથી જ સ્પષ્ટ થાય છે કે તમે પોતાને બચાવાના પ્રયાસ કરો છો

નવી દિલ્હી: સંસદના લોકલભામાં ગઈકાલથી શરૂ થયેલી બોલાચાલીનું રાજકીય ધમાસાણનું યુદ્ધ (War) થોભવાનું નામ નથી લઈ રહી. હિડનબર્ગના રિપોર્ટ અંગે મંળવારના રોજ કોંગ્રેસના (Congress) રાહુલ ગાંધીએ પીએમ (PM) મોદી ઉપર પ્રહાર કર્યા હતા. તો મંગળવારની રાત્રિએ કેન્દ્રિય મંત્રીએ રાહુલ ગાંધી ઉપર વળતો પ્રહાર કર્યો હતો. જયારે આજરોજ પીએમ મોદીએ કોંગ્રેસ ઉપર જોરદાર પ્રહાર કર્યા હતા જેના વળતા જવાબમાં રાહુલ ગાંધીએ રહ્યું છે કે પીએમની આ સ્પીચ પરથી જ સત્યની સ્પષ્ટતા થઈ જાય છે.

રાહુલે કહ્યું કે હું એ માત્ર સાઘારણ સવાલ કર્યો હતો કે તમે અદાણી સાથે કેટલીવાર વિદેશ પ્રવાસે ગયા છે. આ લોકો સાથે તેઓની કેટલીવાર મુલાકાત થઈ છે. જો કે પીએમે આ સવાલોના જવાબની સ્પષ્ટતા કરી નથી તેમજ એમ પણ નથી કહ્યું કે તેઓ આ મામલે તપાસ કરાવશે. વધારામાં રાહુલે કહ્યું કે પીએમની આ વાત પરથી જ સત્યની સ્પષ્ટ થઈ રહ્યું છે. તેણે કહ્યું કે હું આજના પીએમ મોદીના ભાષણ સાથે સહમત થતો નથી. રાહુલે કહ્યું કે જો અદાણી પીએમનો મિત્ર નથી તો તેઓએ કહી દેવું જોઈએ કે હું તપાસ કરવી દઉં પણ તેઓએ આવું ન કીધું. આ વાતથી સ્પષ્ટ થાય છે કે તેઓ પોતાનો બચાવ કરી રહ્યાં છે.

જણાવી દઈએ કે મંગળવારના રોજ રાહુલે પીએમ મોદી ઉપર આકરા પ્રહાર કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે એક સમય હતો કે જયારે પીએમ અદાણીના વિમાનમાં ફરતા હતા આજે સમય છે કે જયારે પીએમના વિમાનમાં અદાણી ફરી રહ્યાં છે.

યુપીએએ દરેક મોકાને મુસીબતમાં બદલી હતી: પી.એમ.મોદી
પી.એમ.મોદીએ તેમના ભાષણમાં યુપીએ સરકાર ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે મનમાં ચાલતી અંતર્મુખી વાતો ચેનથી ઊંઘવા પણ નથી દેતી. વર્ષ 2004 થી વર્ષ 2014 આઝાદી પછીનો સર્વાધિક ઘોટાળાનો દાયકો રહ્યો હતો . દરમ્યાન 10 વર્ષમાં કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી ભારતના દરેક ખૂણામાં આતંકવાદની હુમલાઓ થઇ રહ્યા હતા. દેશમાં એવો દહેશતનો માહોલ જતો કે કોઈ પણ અજાણી વસ્તુઓને હાથ લગાવી શકતો ન હતો. 10 વર્ષમાં કાશમીર થી લઇને નોર્થ ઇસ્ટ સુધી બધી બાજુએ આંતંક ફેલાયેલો હતો. બીજી બાજુ ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર દેશની સ્થિતિ એટલી નબળી હતી કે દુનિયામાં ભારતની હાલતને કોઈ પણ સાંભળવા તૈયાર જ ન હતું. બીજી તરફ આજે હવે દેશની 140 કરોડની જનતાનો આત્મવિશ્વાસ ખીલ્યો છે. વર્ષ 2004 થી લઇ 14 સુધી યુપીએ સરકારે હાથમાં આવેલા દરેક મોકાઓને વેડફી નાખ્યા હતા.અવસરને પણ આફતમાં ફેરવી દીધી હતી.

Most Popular

To Top