Gujarat

કોંગ્રેસ હવે ડૂબતું જહાજ બની ગયું છે : પાટીલ ભાઉ

ગાંધીનગર: ભાજપના (BJP) 42માં સ્થાપના દિને બુધવારે (Wednesday) સાબરકાંઠામાં ભાજપના ગઢના કાંગરા ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે ખેરવી નાંખ્યા હતા. હિંમતનગરના તાલુકાના પૂર્વ પ્રમુખ રણજિતસિંહ સોલંકી સહિત 320 જેટલા કોંગ્રેસના (Congress) કાર્યકરો બુધવારે ભાજપમાં પાટીલના હાથે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.

પાટીલે હિંમતનગરમાં કહ્યું હતું કે કોંગ્રેસ હવે ડૂબતું જહાજ બની ગયું છે. ખુદ કોંગ્રેસની નેતાગીરી પણ તેને બચાવવનો કોઈ પ્રયાસ કરતી નથી. બીજી તરફ આજે અમદાવાદમાં નિકોલમાં ભાજપના યુવા મોરચા દ્વારા આયોજીત બાઈક રેલીને સીએમ ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપી હતી. રાજ્યભરમાં ભાજપના 42માં સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી.

Most Popular

To Top