Gujarat

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બીજી વખત પહિંદ વિધિ કરી

અમદાવાદ : આજે અમદાવાદમાં (Ahmedabad) અષાઢી બીજ ના દિવસે જમાલપુર ખાતેના ભગવાન જગન્નાથજીના મંદિરેથી 146 મી રથયાત્રા (Rathyatra) નું મુખ્યમંત્રી (CM)ભુપેન્દ્રભાઈ પટેલે પહિંદ વિધિ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આજે સવારે 7-00 વાગે જગન્નાથ મંદિર પરિસરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભગવાન જગન્નાથજીના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ કરી હતી. તેમને બીજી વખત પહિંદ વિધિ કરવાનો લ્હાવો મળ્યો હતો.

અમિત શાહે સહ પરિવાર જગન્નાથ મંદિરે મંગળા આરતી કરી
અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે વહેલી સવારે 4-00 વાગે જમાલપુર મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરી હતી. અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે વહેલી સવારે 3-45 વાગે ભગવાનના કપાટ ખૂલ્યા હતાં અને 4-00 વાગે અમિત શાહે મંગળા આરતી કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત સાહેબ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનનું જગન્નાથજીની મંગળા આરતીમાં સહપરિવાર ભાગ લીધો હતો.

Most Popular

To Top