Gujarat

અમદાવાદની ચોંકાવનારી ઘટના- પત્ની અને દીકરીએ મળીને કરી પતિની હત્યા અને પછી અહીં ફોન કર્યો

અમદાવાદ: (Ahmedabad) અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં માં-દીકરીએ મળી પતિની હત્યા (Murder) કરી નાંખી હતી. હત્યાને કુદરતી મોતમાં ખપાવવાનો માં-દીકરી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં હત્યાનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. રવિવારના રોજ પતિએ પત્નીને તેમજ દીકરીને વાળ પકડીને માર માર્યો હતો. જેથી ઉશ્કેરાયેલી માં-દીકરીએ (Mother And Daughter) પતિની હત્યાનું ષડ્યંત્ર (Conspiracy) રચ્યું હતું. જોકે આ બધા પાછળ પતિની શંકા જવાબદાર હોવાનું માલૂમ પડ્યું છે. પતિ પત્ની પર શંકા રાખતો હોવાથી તેને માર મારતો હતો. પોસ્ટમોર્ટ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સામે આવતા સરદારનગર પોલીસે ગુનો નોંધી માં-દીકરીની ધરપકડ કરી છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પતિની શંકાના કારણે પત્નીને માર મારતા પતિને અંતે માં-દીકરીએ મોતને ઘાટ ઉતારી દીધા હતા. મળતી માહિત મુજબ દરરોજના ત્રાસથી કંટાળી તેમજ પતિના મારના ડરથી બંનેએ આ કામ કરવાનું નક્કી કર્યું હતું. ઠંડા કલેજે હત્યા કર્યા બાદ પૂરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. મૃતક કિશોર જાદવ દરરોજ પત્ની ગીતા જાદવ અને બે દીકરીઓને ઢોર માર મારતો હતો. રવિવારના રોજ પણ પતિ કિશોરે તેઓને વાળ પકડીને માર માર્યો હતો. જેથી ઉશેકરાયેલી ગીતા જાદવ અને દીકરી ભાવના જાદવે કિશોરની હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું.

કિશોર સુઈ રહ્યો હતો તે દરમ્યાન પત્ની ગીતાએ દુપટ્ટાથી કિશોરનું ગળું દબાવ્યું હતું. જ્યારે દીકરીએ પિતાના ચહેરા પર રૂમાલ મૂકી મોઢું દબાવી રાખ્યું હતું. કિશોર જીવતો રહી જશે તો તેને ફરી મારશે તેવા વિચારે એક કલાક સુધી ગીતા દુપટ્ટો પકડીને બેસી રહી હતી. ત્યારબાદ તેણે ભત્રીજા પરાગ જાદવને ફોન કરીને કહ્યું હતું કે કિશોરને ઉઠાડવાના પ્રયાસ કરવા છતાં તે જાગી રહ્યો નથી. ત્યારબાદ કિશોરને હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર મામલો કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે પોસ્ટમોર્ટમ બાદ કિશોરની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછ દરમ્યાન પત્નીએ જણાવ્યું હતું કે પતિ દારૂ પીતો હતો. એટલું જ નહીં વારંવાર શંકા કરીને માર મારતો હતો.

જણાવી દઈએ કે ગીતા અને કિશોરના 20 વર્ષ પહેલાં લગ્ન થયા હતાં. લગ્ન જીવન દરમિયાન તેઓને ચાર સંતાનો છે. જેમાં બે દીકરીઓ સોડા ફેકટરીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. જ્યારે કિશોર કામ ધંધો કરતો ન હતો. બેકાર હોવાની સાથે દારૂ પીવાની લત તેમજ મારવાની ટેવને કારણે ઘરમાં હમેશા વાતાવરણ તંગ રહેતું હતું. આ સમગ્ર મામલે સરદારનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી માં-દીકરીની ધરપકડ કરી છે.

Most Popular

To Top