Gujarat

રાજ્યમાં કોરોનાના નવા 12 કેસ: એક પણ મૃત્યુ નહીં

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12 કેસો નોંધાયા છે. જ્યારે એક પણ દર્દીનું મૃત્યુ થયુ નથી. આ ઉપરાંત સારવાર દરમ્યાન સાજા થઈ જતાં 12 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસો વધીને 8,25,398 સુધી પહોંચી ગયા છે. આજે રવિવારે ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12 કેસો નોંધાયા છે.

જેમાં અમદાવાદ મનપામાં 3, વડોદરા મનપામાં 3, સુરત મનપામાં 2, ભાવનગરમાં 1, જામનગર મનપામાં 1, રાજકોટ મનપામાં 1 અને તાપીમાં 1 એમ કુલ 12 કેસોનો સમાવેશ થાય છે. સારવાર દરમ્યાન 12 દર્દીઓને રજા આપી દેવાઈ છે. આ સાથે રાજયમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 98.76 ટકાલ જેટલો છે. હાલમાં રાજ્યમાં 151 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં વેન્ટિલેટર પર 4 દર્દીઓ છે અને અન્ય 147 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 8,15,166 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે કુલ 10081 દર્દીઓનું મૃત્યુ થયુ છે.

Most Popular

To Top