Madhya Gujarat

ગોધરામાં કારમાં આગ લાગતા રાહદારીઓમાં દોડધામ મચી ગઇ

ગોધરા: ગોધરાના પંચામૃત ડેરી પાસે પસાર થતાં હાઇવે માર્ગ પર અચાનક કારમાં આગ લાગતાં ત્યાંથી પસાર થતા રાહદારીઓ દોડી આવ્યા હતા.  કારમાં આગ લાગવાની ઘટના માં કોઇ જાનહાનિ થઈ ન હોતી.. ગોધરા લુણાવાડા હાઇવે માર્ગ પર પંચામૃત ડેરી પાસે કારમાં અચાનક કોઈ કારણસર આગ લાગી હતી. કાર ચાલક લુણાવાડા  તરફ  જઈ રહયો  હતો ત્યારે  આગ લાગતા ડ્રાઇવર ગાડીમાંથી ઊતરી જઈને બૂમાબૂમ કરતા ત્યાંથી પસાર થતા રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા.  જોતજોતામાં કારમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાર આગળના ભાગે  બળી ગઈ હતી. પંચામૃત ડેરી પાસે  બનેલી આ આગ લાવાની ઘટનામા કાર ચાલક સહિત અંદર બેઠેલ મુસાફરોનો  આબાદ બચાવ થયો હતો. જોકે કારમાં આગ શોર્ટ સર્કિટના કારણે  લાગી હોવાનું બનાવ સ્થળ ખાતે ચર્ચાઈ રહ્યું હતુ.

Most Popular

To Top