Gujarat

આજથી અમીત શાહ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે

કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહ આવતીકાલ તા.10મી જુલાઈથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ ત્રણ દિવસ દરમ્યાન તેમના દ્વારા વિકાસ કાર્યોના ખાત મુહૂર્ત – લોકાર્પણ અને અષાઢી બીજે અમદાવાદમાં જમાલપુરમાં આવેલા જગદીશ મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની મંગળા આરતીમાં સહ પરિવાર ભાગ લેશે

તા. 11મી જુલાઈના રોજ સવારે સાબરમતી નવા વાડજ પમ્પીંગ સ્ટેશનના કાર્યક્રમમાં હાજરી આપશે. તે ઉપરાતં વેજલપુરમાં સિવિક સેન્ટર, કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરશે. ધુમા ખાતે નર્મદા યોજનાનું પાણી પહોચાડવાની યોજનાનું ખાતમુહૂર્ત કરશે.

તા.12 જુલાઈના રોજ જગન્નાથજી મંદિરે મંગળા આરતીમાં ભાગ લેશે, તે પછી ગાંધીનગરમા ફોરેન્સીક સાયન્સ યુનિ.ના પદવીદાન સમારંભમાં પણ હાજરી આપશે .ગાંધીનગર સીવીલ હોસ્પિટલ ખાતે ઓકસીજન પ્લાન્ટનું પણ લોકાર્પણ કરશે. અમીત શાહની ગાંધીનગરની મુલાકાત દરમ્યાન રાજકિય બેઠકો પણ યોજાય તેવી સંભાવના છે.

Most Popular

To Top