હાલમાં ઈરાન, ઈરાક વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ થાય એટલે માનવખુવારી અને સંસાધનોને નુકસાન વ્યાપક પ્રમાણમાં થાય, યુદ્ધમાં ટેકનોલોજીનો ઉપયોગ થાય જે એકઝાટકે કુદરતી સંસાધનોનો વિનાશ કરી નાખે અને ટેકનોલોજી વિશ્વના હિતમાં આશીર્વાદ અને અભિશાપ પણ છે. હાલમાં ડિજિટલ યુગ ચાલી રહ્યો છે ત્યારે ડિજિટલ ટેકનોલોજીના પણ લાભ અને ગેરલાભ બન્ને છે. સાયબર ક્રાઇમના ગુનાનું પ્રમાણ વધી ગયું છે તેનો ભોગ મોટા ભાગે સિનિયર સિટીઝન બનતાં હોય છે. ડિજિટલ માધ્યમથી બધું જ કામ થાય પરંતુ તેના કારણે બેરોજગારીમાં વધારો થાય છે. કોઈ પણ ટેકનોલોજીનો વિશ્વના હિતમાં ઉપયોગ થવો જોઈએ. કુદરતી આપત્તિથી નુકસાન થાય પરંતુ માનવીએ બનાવેલ ટેકનોલોજીથી માનવખુવારી કે સંસાધનોને નુકસાન થાય તે ખૂબ જ દુઃખદાયક કહેવાય.
સુરત – ચંદ્રકાંત રાણા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
અણુશસ્ત્રો ક્યારેક પોતાના અસ્તિત્વને જ મીટાવી દેશે
એક બીજાના હુમલાના ભયે શસ્ત્રદોટમાં પોતાની જ અર્થવ્યવસ્થા ખોરવી નાંખશે. શસ્ત્ર ઉત્પાદનમાં કરોડોનો ખર્ચ આમ જનતાના ખિસ્સામાંથી આવે છે અને ઉત્પાદક ઉદ્યોગો (શસ્ત્ર) ફુગાવાને ફૂંક મારે છે. અલ્પ આવકવાળા અને મધ્યમ વર્ગ આ નાગચુડમાં ફસાવે છે. માંદગીનો ખર્ચ અસહ્ય હોય છે. સ્કૂલ ફીમાં અસહ્ય વધારો, ગણવેશ તેમજ ઈતર પ્રવૃત્તિમાં વાલીઓના પરસેવાના નાણાં વેડફાય છે.
અડાજણ – અનિલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.