રાજસ્થાનના ભીવાડીમાં એક કેમિકલ ફેક્ટરીમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો. આઠ કામદારો જીવતા બળી ગયા જ્યારે ચાર અન્ય ગંભીર રીતે દાઝી ગયા. તેમને દિલ્હીના AIIMSમાં રિફર કરવામાં આવ્યા છે. ફેક્ટરીમાં ગેરકાયદેસર ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. ઘટનાસ્થળેથી ગનપાઉડર, ફટાકડા અને પેકિંગ કન્ટેનર મળી આવ્યા છે.
સોમવારે સવારે 9:30 વાગ્યે ખુશખેડા કરૌલી ઔદ્યોગિક વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. ઘટના સમયે લગભગ 25 કામદારો કામ કરી રહ્યા હતા. મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હતા જેમાં ઘણા લોકોના હાડપિંજર જ બચ્યા હતા. શરીરના ભાગોના ટુકડા વેરવિખેર મળી આવ્યા હતા. બચાવ ટીમોએ આ ટુકડાઓ પોલીથીન બેગમાં એકત્રિત કર્યા હતા. ADM સુમિતા મિશ્રાના જણાવ્યા અનુસાર ફેક્ટરી માલિકનું નામ રાજેન્દ્ર છે. તેણે ફેક્ટરી કોઈ તિવારીને લીઝ પર આપી હતી. બંનેનો સંપર્ક કરવાના પ્રયાસ કરાઈ રહ્યાં છે જોકે તેઓનો સંપર્ક થઈ રહ્યો નથી.