કાલોલ :
પ સંખેડા નવાપુરા લીઝ ફળીયા ખાતે રહેતા આકાશભાઈ અર્જુનભાઈ બારીયા ઉ.વ. ૨૮ ગઇ તારીખ ૨૪ના રોજ સવારના દસેક વાગ્યે તેઓના ઘરેથી પોતાની નોકરી ઉપર નસવાડી ખાતે ગયા હતા. ત્યાંથી તેના મિત્ર શૈલેશ સઠવાને બપોરના પોણા ચારેક વાગ્યે જાબુઘોડા ખાતે મળી પાવાગઢ જવાનું કહી જાંબુઘોડાથી નીકળી ગયા હતા. કોઈપણ અગમ્ય કારણોસર તારીખ ૨૬ના બપોરના ચારેક વાગ્યાના અરસામાં કાલોલ તાલુકાના રતનપુરા ગામથી નેવરીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર કરાડ નદીના પુલ નીચે નદીના વહેતા પાણીમાંથી મૃત હાલતમાં મળી આવતા આકાશ બારીયાની લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી.