Singvad

કાશ્મીરમાં નિર્દોષ હિન્દુઓની હત્યાના વિરોધમાં પીપલોદ નગર સ્વયંભૂ બંધ રહ્યું

સિંગવડ : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થોડા દિવસ પહેલા 27 જેટલા પ્રવાસીઓને આતંકવાદીઓ દ્વારા મારી નાખવામાં આવ્યા હતા. તેને લઈને પીપલોદ નગર ખાતે તમામ વેપારીઓ  દ્વારા   પીપલોદ નગરને સ્વયંભુ બંધ રાખવામાં આવ્યો હતો અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો                                               જમ્મુ કાશ્મીરના પહલગામ ઇસ્લામિક જેહાદી આતંકવાદીઓ દ્વારા નિર્દોષ હિંદુઓની હત્યા કરાઇ હતી. હુમલામાં શહીદ થયેલા લોકોના પરિવારના સભ્યોના સમર્થનમાં અને આતંકવાદના વિરોધમાં પીપલોદના નગરના તમામ રહીશો વેપારી, નાનામાં નાનો વેપારી, શાકભાજી અને લારી પથારા કરીને રોજિંદો ખર્ચ કાઢી જીવન જીવવા વાળા નાના વેપારીઓએ પણ સમગ્ર સમાજના લોકો દ્વારા એક થઈ પોતાનો વિરોધ વ્યક્ત કરી પીપલોદનું સંપૂર્ણ માર્કેટ બંધ કરી  શાંતિપૂર્વક  વિરોધ વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top