Vadodara

કાલે હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા

સ્વતંત્ર દિનની ઉજવણીના અનુસંધાને ઘર ઘર તિરંગા અભિયાન હેઠળ વડોદરા મહાનગર પાલિકા દ્વારા સોમવારે ગૃહ મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 4 વાગ્યે નવલખી મેદાનથી યાત્રાનો પ્રારંભ થશે. નવલખી મેદાનથી આ યાત્રા કીર્તિ સ્તંભ, ખંડેરાવ માર્કેટ, ન્યાય મંદિર, સુરસાગર તળાવ થઈને મહાત્મા ગાંધી નાટ્ય ગૃહ ખાતે સમાપ્ત થશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહેવા શહેરીજનોને સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીએ અનુરોધ કર્યો છે.

Most Popular

To Top