Vadodara

વડોદરા : નિઝામપુરામાંથી જવું છે,તો ચેતજો,અજગરી ભુવો રાહ જોઈ રહ્યો છે

સ્મશાન બહાર મહાકાય ભુવો નિર્માણ પામ્યો,તંત્ર ભર નિંદ્રામાં :

( પ્રતિનિધિ ) વડોદરા,તા.30

વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા સ્મશાનની બહાર જ મહાકાય ભુવાએ શાસકોની પોલ ઉઘાડી પાડી દીધી છે. રજૂઆત બાદ પણ આ ભુવો પુરવામાં નહીં આવતા કોંગ્રેસના કાઉન્સિલરે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

કાઉન્સિલર જહા દેસાઈએ જણાવ્યું હતું કે, નિઝામપુરા વિસ્તારમાં આવેલી ભૂકી કાંસ ઉપરના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભુવો નિર્માણ પામ્યો છે. સ્મશાનના ગેટની બહાર જ એક સ્લેબની ઉપર આ ભુવો પડ્યો છે. વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છેલ્લા 30 એક વર્ષથી છે. માત્ર મોટી મોટી વાતો કરવી સબસલામતના દાવા કરવા, એસી ચેમ્બરમાં બેસીને માત્ર મોટી મોટી વાતો કરવી, ભાજપના શાસનમાં અધિકારીઓ પર કોઈપણ પ્રકારનો કંટ્રોલ નથી. મ્યુનિસિપલ કમિશનર પણ વિઝિટમા આવ્યા હતા. જેઓને આપણે હકીકત પણ બતાવી છે કે, આ પરિસ્થિતિ જ છે. તો તેઓ પણ આ કામગીરી કરવા માટે તૈયાર થયા. અને જવાબદારી પણ લીધી.

ક્યાંક ને ક્યાંક શાસકો જે રીતે કામગીરી કરાવવી જોઈએ એ રીતે કામગીરી કરાવવામાં નિષ્ફળ નિવડ્યા છે. પ્રિમોન્સૂનની કામગીરી ના નામે કરોડો રૂપિયા ખર્ચા કર્યા પછી પણ વડોદરા શહેરમાં ઠેર ઠેર જો પાણી ભરાઈ જતા હોય, ભુવા પડતા હોય, ખાડા પડતા હોય, લોકો ખાડામાં પણ રોડ શોધી રહ્યા હોય, ત્યારે વડોદરા શહેર ક્યાંક ને ક્યાંક બદનામ થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જેથી આ શાસકો સો ટકા નિષ્ફળ નીકળ્યા છે તારે શાસકો જાગે અને ખાડોદરા નગર નગરી ભુવા નગરીમાંથી વડોદરાના લોકોને બહાર લાવવાની ખાસ જરૂર પડી છે.

Most Popular

To Top